Saturday, March 14, 2026

સાવધાન અમદાવાદીઓ ! GMDC બ્રિજ ઉતરતા જ મહાકાય ભૂવો, ચોમાસા ટાણે જ 32 સ્થળોએ ભુવાઓ

spot_img
Share

અમદાવાદ : ચોમાસામાં વરસાદનું આગમન થતા જ દર વર્ષની પરંપરા મુજબ મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભૂવા પાડવાની શરૂઆત થઇ ગઈ છે. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદમાં કુલ 32 સ્થળોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે. વાત જાણે એમ છે કે, બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ ચાલી રહ્યું છે. આ તરફ હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. તો વળી અમદાવાદ GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડ્યો છે. આ સાથે વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.

અમદાવાદમાં વરસાદનું આગમન થતા જ મેટ્રોસિટીમાં ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદના GMDC બ્રિજ પાસે ભુવો પડ્યો છે. જેને લઈ AMCનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. 132 ફૂટ રિંગ રોડ પર GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડતાં વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.આ ઉપરાંત શહેરભરમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 32 સ્થળોએ ભૂવાઓ બાદ ખોદકામ ચાલુ હાલતમાં છે. આ દરમ્યાન હવે વરસાદના આગમન છતાં AMCના પાપે શહેરીજનોને હેરાનગતિ નક્કી હોવાની સ્થિતિ બની છે.

વિગતો મુજબ બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ કરાયું છે. અગાઉ 300 ડાયામીટરની પાણીની લાઈનમાં ભંગાણના કારણે ભુવો પડ્યો હતો. જોકે હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. મહત્વનું છે કે, કરોડો રૂપિયાનો પ્લાન છતાં સ્થિતિ ત્યાની ત્યાં જ હોવાની સ્થિતિ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...