Tuesday, January 20, 2026

સાવધાન અમદાવાદીઓ ! GMDC બ્રિજ ઉતરતા જ મહાકાય ભૂવો, ચોમાસા ટાણે જ 32 સ્થળોએ ભુવાઓ

spot_img
Share

અમદાવાદ : ચોમાસામાં વરસાદનું આગમન થતા જ દર વર્ષની પરંપરા મુજબ મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભૂવા પાડવાની શરૂઆત થઇ ગઈ છે. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદમાં કુલ 32 સ્થળોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે. વાત જાણે એમ છે કે, બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ ચાલી રહ્યું છે. આ તરફ હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. તો વળી અમદાવાદ GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડ્યો છે. આ સાથે વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.

અમદાવાદમાં વરસાદનું આગમન થતા જ મેટ્રોસિટીમાં ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદના GMDC બ્રિજ પાસે ભુવો પડ્યો છે. જેને લઈ AMCનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. 132 ફૂટ રિંગ રોડ પર GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડતાં વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.આ ઉપરાંત શહેરભરમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 32 સ્થળોએ ભૂવાઓ બાદ ખોદકામ ચાલુ હાલતમાં છે. આ દરમ્યાન હવે વરસાદના આગમન છતાં AMCના પાપે શહેરીજનોને હેરાનગતિ નક્કી હોવાની સ્થિતિ બની છે.

વિગતો મુજબ બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ કરાયું છે. અગાઉ 300 ડાયામીટરની પાણીની લાઈનમાં ભંગાણના કારણે ભુવો પડ્યો હતો. જોકે હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. મહત્વનું છે કે, કરોડો રૂપિયાનો પ્લાન છતાં સ્થિતિ ત્યાની ત્યાં જ હોવાની સ્થિતિ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...