Thursday, January 22, 2026

એકતરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાઇ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘જયરાજ વાળા તેમને ફોન કરીને ધમકી આપી છે કે અગાઉના કેસમાં સમાધાન કરી લો નહિતર સારું નહીં થાય’. આ પ્રકારની ધમકી આપતા મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી મહિલા બે વર્ષ અગાઉ નિકોલ ખાતે રોયલ રીવેરા ફ્લેટ, દેવસ્ય સ્કુલની પાસે રહેતી હતી. તે વખતે તેમના મકાનની નીચે રહેતા અને ક્રૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજભાઇ સાથે મુલાકાત થયેલ હતી. ઘરનું ફર્નિચર જોવાના બહાને મહિલાને ઘરે આવ્યા હતા. અને ફર્નિચરવાળાનો નંબર માંગતા મહિલાએ નંબર આપ્યો હતો. જે બાદ બંન્ને ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. જોકે, જયરાજ શારિરીક સંબંધ બાંધવા અવાર-નવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ફરિયાદી મહિલા ઘર વેચી અન્ય સ્થળે રહેવા ગયા હતા.

આટલાથી ન રોકાતા આ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મહિલા બીજે રહેવા માટે ગઈ ત્યાં જઈને પણ મહિલાને હેરાન કરતો હતો અને ફોનમાં ધમકી આપતો હતો કે, અગાઉની ફરિયાદ પાછી ખેંચી લે અથવા તો સમધાન કરી લે. તેથી આખરે કંટાળીને મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...