Thursday, January 22, 2026

અમદાવાદમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : બાળકને કારમાં બેસાડી પિતા ખરીદી કરવા ગયા અને પછી શું થયું જાણો ?

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં એક ઘટના ઘટી છે. જેમાં એક ગાડીમાં બાળક ફસાયું હતુ. નાના બાળકને ગાડીમાં બેસાડીને પિતા કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા. આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોની મદદથી બાળકને સહીસલામત બહાર કઢાયું હતુ.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘોડાસરના પી.ડી. પંડ્યા કોલેજ પાસે આજે સવારે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતા પોતાના નાના બાળકને ગાડીમાં બેસાડીને થોડી વસ્તુઓ લેવા માટે ગયા હતા.આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ.તો બીજી બાજુ કારની ચાવી પણ કારની અંદર બાળક પાસે રહી ગઇ હતી. જેથી ગાડીને પણ લોક વાગી ગયુ હતુ. જેથી બહારથી ગાડી ખોલી શકાતી ન હતી. આ ઘટના થતા સ્થાનિકો પણ પિતાની મદદે આવ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક મિકેનીકની મદદથી આ કાર આખરે ખુલી હતી અને બાળક સહીસલામત બહાર આવ્યું હતુ. અને લોકોએ હાશકારો લીધો હતો.

તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાળકનું મોત નીપજ્યુ હતુ. શહેરના ઇસ્કોન બંગ્લોઝ નજીક રમતો બાળક કારમાં બેસી ગયો હતો. જે બાદ દરવાજો લોક થઇ જતા તે ગાડીમાં જ ફસાઇ ગયો હતો.આ અંગે પોલીસે નિવેદન આપ્યું હતુ કે, જેમાં તેમણે જણાવ્યું કે, CCTVમાં બાળક ગાડીમાં જતો દેખાતો હતો. ગાડીમાં બાળક જવાથી ગાડી લોક થઇ ગઇ હતી. ત્યારે ગૂંગળામણથી બાળકનું મોત થયાનું પ્રાથમિક તારણ છે. એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી. FSLની મદદ લેવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...