Saturday, November 8, 2025

AMC નું ફૂડ વિભાગ હરકતમાં : એક સપ્તાહમાં 518 એકમોમાં ચેકિંગ, 2.24 લાખ જેટલો દંડ કર્યો વસૂલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ખાવાની ચીજવસ્તુઓમાંથી જીવાત અને અન્ય ચીજ વસ્તુઓ પણ નીકળતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે AMCના ફૂડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતા દુકાનોમાં ચેકિંગ અને નમૂના લેવાના આંકડાઓની માયાજાળ દર્શાવવામાં આવે છે. પરંતુ હકિકતમાં કોઈ નક્કર કામગીરી જણાતી નથી. શહેરમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોમાં તમામ ચીજવસ્તુઓ હાઇજેનિક જ મળતી હોય તેવી સ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે તેને લઈ ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 518 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યચીજોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મીઠાઈના 60, બેકરીમાં 2, મસાલા 6, અન્ય 55 મળી કુલ 123 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 299 નોટિસ આપી હતી. 671 કિલોગ્રામ અને 541 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 2.24 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 497 જેટલા લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 53 જેટલા તેલના ટીપીસી ચેક કર્યા હતા. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની દુકાનો, મીઠાઈની દુકાન, પાણીપુરીની દુકાનો આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં AMCને માત્ર મળેલી ફરિયાદોના આધારે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા જાતે ક્યાંય પણ ચેકિંગ કરી અને કામગીરી કરવામાં આવતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...