Wednesday, January 21, 2026

અમદાવાદમાં પોલીસની નવી ઝુંબેશ: 10થી વધુ મેમોના દંડ ન ભરનારા વાહનચાલકોના ઘરે હવે ‘ખાસ મહેમાન’ આવશે!

spot_img
Share

અમદાવાદ : શહેરના વાહનચાલકો માટે કામના સમાચાર છે. 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે. 83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને 10 કે તેથી વધુ ઇ મેમો મેળવનારાના ઘરે જઈને પોલીસ દંડ વસૂલશે. આવા વાહનચાલોકોની વિગતો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપવમાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 કે તેથી વધુ ઈ-મેમો મેળવનારના ઘરે જઈને પોલીસ દંડ વસૂલશે. આવા વાહનચાલકોની સંપૂર્ણ વિગતો તૈયાર કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપવામાં આવી છે. પોલીસ તેમના નોંધાયેલા સરનામાં પર જઈને બાકી રહેલા દંડની ઉઘરાણી કરશે. હેલમેટ ન પહેરવાના 10થી વધુ મેમો મેળવનાર 82 હજાર વાહનચાલકની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત રોંગ સાઇડના 10થી વધુ મેમો મેળવનારા 1200 અને સિગ્નલ ભંગ બદલ 10થી વધુ મેમો મેળવાનારા 317 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ હેલમેટ વગરના ને જ નહીં પરંતુ ગંભીર ઉલ્લંઘનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગેરકાયદે પાર્કિંગ, વન વેનું ઉલ્લંઘન, કારમાં સીટ બેલ્ટ ન પહેરવો, કારના કાચ પર બ્લેક ફિલ્મ, ત્રણ સવારી, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ અને ફેન્સી નંબર પ્લેટ જેવા કેસમાંપણ કાર્યવાહી કરાશે.

આ પરાંત એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઇવર લેફ્ટ ટર્ન બ્લોક કરશે, બસ ઓવરસ્પીડ દોડાવશે, સિગ્નલ તોડશે તો તેમાં પણ તેમની સામે કડક કાર્યવાહી કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધીમાં ટ્રાફિક પોલીસે ઓનલાઇન 18.5 લાખ દંડ વસૂલ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...