Friday, January 16, 2026

નવા વાડજના ડો.કિરીટ પટેલનો પ્રાચીન વાદ્ય જલતરંગનો Video ઈન્ટરનેટ પર છવાયો, 32 લાખથી વધારે View

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં મેડિકલ સેવાની વાત નીકળે તો પહેલી હરોળમાં આવતા ડોક્ટરમાં જો કોઈ નામ આવે તો તે છે, ડો.કિરીટ પટેલ. છેલ્લાં 44 વર્ષોથી અખબારનગર સર્કલ પાસે આવેલ ડો.કિરીટ પટેલના ઉત્કૃષ્ટ નિદાન અને ઉપચાર પછી એક અનુભવી અને જવાબદાર ડોક્ટર તરીકે તેમણે સમગ્ર વિસ્તારમાં ખુબ લોકચાહના મેળવી છે, પ્રેક્ટિસ દ્વારા અપાર લોકચાહના મેળવનાર ડૉ.કિરીટ પટેલ એક ઉચ્ચ કોટિના સંગીત સાધક પણ છે, જે મેડિકલ જેવા ગંભીર ક્ષેત્રને પણ પોતાના પ્રાચીન જલ તરંગ વાદ્ય સંગીત દ્વારા હળવું બનાવી રહ્યા છે.

તાજેતરમાં નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબેની પ્રસિદ્ધ આરતી જય આધ્યા શક્તિ…ને પ્રાચીન જલતરંગ વાદ્યમાં સુંદર રીતે રજુ કરતો વિડીયો મિર્ચી ન્યૂઝના Facebook પેજ પર મુકાયો હતો, જેને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મેળવી ભારે લોકચાહના મેળવી છે, જયારે આ લખાય છે ત્યાં સુધી 32 લાખ લોકોએ (View) જોયો છે, 2 લાખથી વધુ લોકોએ લાઈક(Like) કર્યો છે, જયારે 4000થી વધુ લોકોએ સુંદર મજાની કોમેન્ટ (Comment) કરતા ભારે પ્રસંશા કરી છે તો 16000 થી વધુ લોકોએ શેર (Share) કરી બીજાને પણ જોવા પણ પ્રેર્યાં હતા.આ અગાઉ ગણેશ ચતુર્થીના દિવસે પણ ગણેશ આરતી પણ ભારે પ્રસિદ્ધિ મેળવી હતી.

તમને જણાવી દઈએ કે મેડિકલ સેવાઓથી નવાવાડજ વિસ્તારને તો ઠીક, પરંતુ અમદાવાદના દૂર દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને સાજા કરનાર ડો. કિરીટભાઈ પટેલ ખૂબ સારા પ્રાચીન વાદ્ય જલતરંગવાદક છે. અને સોશિયલ મીડિયામાં તેમના વાદનનો એક ચોક્કસ ચાહક વર્ગ છે. તેઓ યૂટ્યૂબ Dr.kirit patel ચેનલ ધરાવે છે.જો કોઈને ઘરે આ પ્રાચીન વાદ્ય જલતરંગ (ઘરે બનાવેલું સંગીત વાદ્ય) કેવી રીતે બનાવવું હોય કે શીખવું હોય તો તેઓના નીચે જણાવેલ લિંક દ્વારા YouTube વિડિયોની મુલાકાત લઈ શકે છે…

https://www.youtube.com/@DrKiritPatel1838

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...