Thursday, November 13, 2025

ગુજરાતી દંપતિનો અનોખો શોખ, દેશ વિદેશમાં જઈને ગણેશની મૂર્તિ સંગ્રહ કરે છે

spot_img
Share

અમદાવાદ : દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે અનોખો શોખ ધરાવતા હોય છે. એમાંથી એક વાત કરીયે તો એક કપલે દેશ વિદેશમાંથી ગણેશજીની 200 કરતાં પણ વધારે મૂર્તિઓનું અનોખું કલેક્શન કરી રહ્યા છે.

અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે ગુજરાતી દંપતી નિલેશ કાવા અને પરિતા કાવાએ ભગવાન ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન કરવાની શરૂઆત આશરે 26 વર્ષ પૂર્વે ગેટવે ઑફ ઈન્ડિયાથી કરી હતી. તેમના આ કલેક્શનમાં આજે 200 કરતાં પણ વધારે મૂર્તિઓનો સંગ્રહ છે. તેમનો પરિવાર ભગવાન ગણેશજીને પોતાના સખા માને છે. જે ઘરના વિવિધ સ્થળોએ તેમની સાથે રહે છે.

ભગવાન ગણેશજીની આ મૂર્તિઓ પોર્સેલિન (ચિનાઇ માટી), લાકડું, કાચ, સિરામિક, નારિયેળ, પથ્થરો સહિતની વિવિધ વસ્તુઓથી બનેલી છે. આ વિશે વાત કરતાં પરિતા કાવાએ કહ્યું કે, ભલે અમે ગણેશને ચાહીએ છીએ પણ અમે મૂર્તિની જાળવણી સાથે જોડાયેલી પરંપરાગત વિધિઓનું પાલન કરતા નથી. અમે ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન પણ ગણેશજી લાવીએ છીએ. પરંતુ અમે એવી મૂર્તિ લાવીએ છીએ. જે કાં તો માટીની હોય અથવા વિસર્જન પછી તેને ફરી લાવીને મૂકી દઈએ. અમે લગ્ન કર્યા એ પહેલા જ હું અને નિલેશ ગણેશનો સંગ્રહ કરતા હતા.

નિલેશ અને પરિતાએ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશોની મુસાફરી દરમિયાન તેઓ કલાત્મક સંસ્કૃતિને દર્શાવતી સૌંદર્યલક્ષી ગણેશની મૂર્તિઓ શોધી રહ્યા છે. તેમને ગણેશજીના બનાવેલા કેટલાક પોર્સેલિન પણ મળ્યા છે, જે કદાચ એન્ટિક પણ હોય શકે છે. આ બંને મુસાફરી દરમિયાન સતત સર્જનાત્મક ગણેશજીની શોધમાં હોય છે. છેલ્લા 26 વર્ષમાં 200થી પણ વધારે યુનિક ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરી ચૂક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...