Tuesday, March 24, 2026

ગુજરાતી દંપતિનો અનોખો શોખ, દેશ વિદેશમાં જઈને ગણેશની મૂર્તિ સંગ્રહ કરે છે

spot_img
Share

અમદાવાદ : દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે અનોખો શોખ ધરાવતા હોય છે. એમાંથી એક વાત કરીયે તો એક કપલે દેશ વિદેશમાંથી ગણેશજીની 200 કરતાં પણ વધારે મૂર્તિઓનું અનોખું કલેક્શન કરી રહ્યા છે.

અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે ગુજરાતી દંપતી નિલેશ કાવા અને પરિતા કાવાએ ભગવાન ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન કરવાની શરૂઆત આશરે 26 વર્ષ પૂર્વે ગેટવે ઑફ ઈન્ડિયાથી કરી હતી. તેમના આ કલેક્શનમાં આજે 200 કરતાં પણ વધારે મૂર્તિઓનો સંગ્રહ છે. તેમનો પરિવાર ભગવાન ગણેશજીને પોતાના સખા માને છે. જે ઘરના વિવિધ સ્થળોએ તેમની સાથે રહે છે.

ભગવાન ગણેશજીની આ મૂર્તિઓ પોર્સેલિન (ચિનાઇ માટી), લાકડું, કાચ, સિરામિક, નારિયેળ, પથ્થરો સહિતની વિવિધ વસ્તુઓથી બનેલી છે. આ વિશે વાત કરતાં પરિતા કાવાએ કહ્યું કે, ભલે અમે ગણેશને ચાહીએ છીએ પણ અમે મૂર્તિની જાળવણી સાથે જોડાયેલી પરંપરાગત વિધિઓનું પાલન કરતા નથી. અમે ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન પણ ગણેશજી લાવીએ છીએ. પરંતુ અમે એવી મૂર્તિ લાવીએ છીએ. જે કાં તો માટીની હોય અથવા વિસર્જન પછી તેને ફરી લાવીને મૂકી દઈએ. અમે લગ્ન કર્યા એ પહેલા જ હું અને નિલેશ ગણેશનો સંગ્રહ કરતા હતા.

નિલેશ અને પરિતાએ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશોની મુસાફરી દરમિયાન તેઓ કલાત્મક સંસ્કૃતિને દર્શાવતી સૌંદર્યલક્ષી ગણેશની મૂર્તિઓ શોધી રહ્યા છે. તેમને ગણેશજીના બનાવેલા કેટલાક પોર્સેલિન પણ મળ્યા છે, જે કદાચ એન્ટિક પણ હોય શકે છે. આ બંને મુસાફરી દરમિયાન સતત સર્જનાત્મક ગણેશજીની શોધમાં હોય છે. છેલ્લા 26 વર્ષમાં 200થી પણ વધારે યુનિક ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરી ચૂક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...