Monday, January 26, 2026

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા થઇ જજો સાવધાન, આ રેસ્ટોરન્ટના વેજ મન્ચુરિયનના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હવે જો તમે કોઈ ખાવાની ચીજવસ્તુઓ બહાર ખાવા જતા હોય તો 10 વખત વિચારીને ખાજો કારણકે પણ હોટલ અને રેસ્ટોરન્ટ અથવા દુકાનમાંથી લીધેલી ચીજ વસ્તુઓ હવે ભેળસેળ વિનાની મળી રહી નથી. મણિનગર વિસ્તારમાં આવેલા ઘી ગુડ રેસ્ટોરન્ટમાંથી વેજ મન્ચુરિયન અને અમરાઈવાડી સ્વસ્તિક ક્રોસ રોડ પાસે આવેલા નેશનલ હેન્ડલુમમાંથી ભૂંગળાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યાં છે. તાજેતરમાં જ ઘી ગુડ રેસ્ટોરન્ટમાં સિંગ સલાડમાંથી ઈયળ નીકળી હતી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે મણિનગરની આ રેસ્ટોરન્ટમાંથી સબ સ્ટાન્ડર્ડ ખાવાનું મળી આવતા હવે બહારની આ રેસ્ટોરન્ટ માંથી ખાતા લોકોએ વિચાર કરવો પડશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 12 દિવસમાં 738 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 19 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મીઠાઈના 21, દૂધના 14, નમકીનના 15, બેકરી પ્રોડક્ટસના 03, પનીર-બટરના 02, ખાદ્યતેલના 03, અન્ય 110 મળી કુલ 214 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.છેલ્લા 12 દિવસમાં 738 જગ્યાએ ચેકિંગ દરમિયાન 286 નોટિસ આપી હતી. 718 કિલોગ્રામ અને 712 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 5.68 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 855 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 222 જેટલા તેલના ટીપીસી ચેક કર્યા હતા. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની દુકાનો, મીઠાઈની દુકાન, પાણીપુરીની દુકાનો આગામી સમયમાં ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ભેળસેળવાળી ચીજ વસ્તુઓ દુકાનદારો દ્વારા વેચાણ અને ખાવાનું આપવામાં આવતું હોય છે જેના પગલે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે આગામી સમયમાં ચાલુ રહેશે એવું મ્યુ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...