Thursday, January 15, 2026

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈને ડ્રિન્ક અને ડ્રાઈવ કેસમાં FIR કરવા CPનો આદેશ, 200ના ઈનામની પણ જાહેરાત

spot_img
Share

અમદાવાદ : એકબાજુ 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી છે. હવે કોઈપણ વ્યક્તિ જો દારૂ પીધેલી ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતી દેખાશે તો તેની ખેર નથી. આવા દારૂડિયાઓને પકડવા માટે પોલીસ આમ તો કામ કરતી હોય છે, પરંતુ હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળશે. જે પોલીસકર્મી આવો એક કેસ પકડી લાવશે તેને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લીધો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે કે, શહેરમાં ચેકિંગ દરમિયાન જો કોઈ પણ કારચાલક દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આવા કારચાલકને પકડનારા પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. નોંધનીય છે કે, આ નિર્ણયની ચર્ચા પોલીસ સહિત શહેરભરમાં થઈ રહી છે.

આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર પહેલાં કડકમાં કડક દારૂબંધી થાય એ માટે આખું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે લેખિતમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...