Wednesday, January 21, 2026

અમદાવાદના આ 5 પોઇન્ટ પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ થશે, HCનો આદેશ

spot_img
Share

અમદાવાદ : જો તમે વાહન ચલાવતી વખતે નિયમો પાળવામાં બેદરકારી દાખવતા હોવ તો ચેતી જજો. કારણ કે આગામી 15 દિવસ અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલ કરાશે. હાઇકોર્ટના આદેશ મુજબ અમદાવાદના 5 ટ્રાફિક પોઇન્ટ પર નિયમોનું કડક અમલીકરણ કરાશે. નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરશો, વધુ ઝડપે વાહન હંકારશો, સિગ્નલ તોડશો, સિટ-બેલ્ટ ન પહેર્યો હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી વાહનના દસ્તાવેજ સાથે નહીં હોય તો ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના 5 ટ્રાફિક પોઇન્ટ પર ડ્રાઇવ ચલાવાશે. આ 5 પોઇન્ટની વાત કરીએ તો સ્ટેડિયમ સર્કલથી પશ્ચિમ ભાગ તરફ આગળ, ઝાયડસ હોસ્પિટલ સર્કલ અને આગળ, જજીસ બંગલો રોડ અને આગળ, થલતેજથી શીલજ રોડ અને પ્રભાત ચોકથી હાઈકોર્ટ જવાના માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવાશે. આ માર્ગ પર નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે રોડ અકસ્માત ગંભીર સમસ્યા છે. અરજદારે કહ્યું કે આ કેસમાં પાર્કિંગ પોલિસી એફિડેવિટ ઉપર અપાઈ છે. કોર્ટે કહ્યું આગામી 15 દિવસ અમદાવાદમાં 5 સ્થળોએ ટ્રાફિકની દરેક પોલિસી ઉપર કડક અમલ કરાય. નવા વર્ષની ઉજવણીમાં સમસ્યા વધુ હોય છે. તમામ સ્થળોએ આવતીકાલથી જ કામ કરવા કોર્ટે સૂચન કર્યું હતુ. અને જે 5 જગ્યાએ 15 દિવસ પાર્કિંગની સમસ્યાને લઈને સ્ટ્રીક કામગીરી કરાશે, તેનો એહેવાલ કોર્ટ સમક્ષ મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...