Tuesday, April 21, 2026

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર : રજાના દિવસે સિવિક સેન્ટરો સવારે 9 થી સાંજે 4:30 સુધી ચાલુ રહેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને સીટી સિવિક સેન્ટરની સેવાનો લાભ હવે રજાના દિવસે પણ મળી શકશે. AMC દ્વારા રજાના દિવસે પણ શહેરના 62 માંથી 6 જેટલા સિવિક સેન્ટર કાર્યરત રહેશે. સવારના 9 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધી સિવિક સેન્ટર કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરના સાતેય ઝોન સહિત મધ્યઝોનમાં રિલીફ રોડ, વેસ્ટ ઝોનમાં ઉસ્માનપુરા, ઉત્તર ઝોનમાં મેમકો, દક્ષિણ ઝોનમાં મણિનગર, પૂર્વ ઝોનમાં વિરાટનગર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સિવિક સેન્ટરો શનિ અને રવિ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સાતેય ઝોનમાં આવેલા કુલ 62 સિવિક સેન્ટરોમાં લોકોની સુવિધા માટેના કામો કરવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, બીયુ પરમિશન, ડુપ્લીકેટ જન્મ-મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તાધારા, હેલ્થ લાઇસન્સ, હોલ બુકિંગ, સ્વિમિંગ પૂલ ફી, ફાયર NOC સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...