Wednesday, September 17, 2025

અમદાવાદ થી ગાંધીનગર જવાના હોવ તો આ સમાચાર પહેલા ખાસ વાંચો, આજથી પાંચ દિવસ આ રસ્તાઓ બંધ

Share

Share

અમદાવાદ : ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ કોઈપણ ઈમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે. જે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

એડવાઈઝરી મુજબ આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મુવમેન્ટ હોવાથી ટ્રાફિક અવર જવર ધીમી રહેશે. શહેરીજનોએ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે, તેઓ નાના ચિલોડા અને વિસત સર્કલનો ઉપયોગ કરે. શહેરીજનોને એરપોર્ટ મુસાફરી કરનાર લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, તેઓ બે કલાક વહેલા એરપોર્ટ જવા પ્રયાસ કરે. ખુબ જ ઇમરજન્સી હોય ત્યારે એરપોર્ટના મુસાફરોને સલાહ છે કે, તેઓ ભદ્રેશ્વર કટ અને સરદાર નગર રોડથી પ્રવેશ કરીને પ્રેસટીઝ હોટેલ એરપોર્ટથી બહાર નીકળી શકે છે.

પૂર્વ અમદાવાદના મુસાફરો દફનાળા જંકશનથી આવવાનું ટાળવું, તેઓ ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમકો, નરોડા અને નોબેલ ટી જંકશનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે, તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંકશન પહોંચી શકશે. જો ખુબ જ ઇમરજન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકશે. અથવા ટ્રાફિક હેલ્પ લાઈન 1095 પર ફોન કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...