Tuesday, November 11, 2025

અમદાવાદ થી ગાંધીનગર જવાના હોવ તો આ સમાચાર પહેલા ખાસ વાંચો, આજથી પાંચ દિવસ આ રસ્તાઓ બંધ

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ કોઈપણ ઈમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે. જે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

એડવાઈઝરી મુજબ આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મુવમેન્ટ હોવાથી ટ્રાફિક અવર જવર ધીમી રહેશે. શહેરીજનોએ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે, તેઓ નાના ચિલોડા અને વિસત સર્કલનો ઉપયોગ કરે. શહેરીજનોને એરપોર્ટ મુસાફરી કરનાર લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, તેઓ બે કલાક વહેલા એરપોર્ટ જવા પ્રયાસ કરે. ખુબ જ ઇમરજન્સી હોય ત્યારે એરપોર્ટના મુસાફરોને સલાહ છે કે, તેઓ ભદ્રેશ્વર કટ અને સરદાર નગર રોડથી પ્રવેશ કરીને પ્રેસટીઝ હોટેલ એરપોર્ટથી બહાર નીકળી શકે છે.

પૂર્વ અમદાવાદના મુસાફરો દફનાળા જંકશનથી આવવાનું ટાળવું, તેઓ ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમકો, નરોડા અને નોબેલ ટી જંકશનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે, તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંકશન પહોંચી શકશે. જો ખુબ જ ઇમરજન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકશે. અથવા ટ્રાફિક હેલ્પ લાઈન 1095 પર ફોન કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...