Tuesday, January 13, 2026

અમદાવાદ થી ગાંધીનગર જવાના હોવ તો આ સમાચાર પહેલા ખાસ વાંચો, આજથી પાંચ દિવસ આ રસ્તાઓ બંધ

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ કોઈપણ ઈમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે. જે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

એડવાઈઝરી મુજબ આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મુવમેન્ટ હોવાથી ટ્રાફિક અવર જવર ધીમી રહેશે. શહેરીજનોએ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે, તેઓ નાના ચિલોડા અને વિસત સર્કલનો ઉપયોગ કરે. શહેરીજનોને એરપોર્ટ મુસાફરી કરનાર લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, તેઓ બે કલાક વહેલા એરપોર્ટ જવા પ્રયાસ કરે. ખુબ જ ઇમરજન્સી હોય ત્યારે એરપોર્ટના મુસાફરોને સલાહ છે કે, તેઓ ભદ્રેશ્વર કટ અને સરદાર નગર રોડથી પ્રવેશ કરીને પ્રેસટીઝ હોટેલ એરપોર્ટથી બહાર નીકળી શકે છે.

પૂર્વ અમદાવાદના મુસાફરો દફનાળા જંકશનથી આવવાનું ટાળવું, તેઓ ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમકો, નરોડા અને નોબેલ ટી જંકશનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે, તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંકશન પહોંચી શકશે. જો ખુબ જ ઇમરજન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકશે. અથવા ટ્રાફિક હેલ્પ લાઈન 1095 પર ફોન કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...