Tuesday, January 20, 2026

આજથી અમદાવાદમાં ડબલ ડેકર સિટી ઇ-બસની થઇ શરૂઆત, જાણો શું છે બસની વિશેષતા

spot_img
Share

અમદાવાદ : મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે.અમદાવાદમાં આજથી ડબલ ડેકર AMTS નો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઇ-બસનો પ્રારંભ કરાવ્યો છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી.

અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર ઇ-બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડકી જોવા મળી. આ ડબલ ડેકર ઇ-બસ માટે ખાસ અંડર બ્રિજ, ઓવર બ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે. વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડતી જોવા મળશે.અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે.આ બસમાં એક બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

બસની વિશેષતાની વાત કરીએ તો, તેમાં યુએસબી ચાર્જ, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે.બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ બસ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને મળશે કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. બસની બીજી વિશેષતાની વાત કરીએ તો, 900 એમ એમ ફલોર હાઇટ, 4750 એમએમ હાઇટ, 9800 એમએમ લંબાઇ, 2600 એમએમ પહોળાઇનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...