Wednesday, January 14, 2026

હાઉસીંગ બોર્ડના મકાનોના દસ્તાવેજ માટે રાહત પેકેજની માંગણી : હાર્ફ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર, નવા વાડજ સહિતની જુદી જુદી હાઉસિંગ વસાહતોના મકાનોના દસ્તાવેજ થકી રિડેવલપમેન્ટ સરળ બને તે માટે સરકાર દ્ધારા 100 ટકા વ્યાજ અને પેનલ્ટીની યોજના ચાલી રહી છે ત્યારે હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા જણાવાયું છે કે હાઉસીંગ રહીશો દ્વારા દસ્તાવેજ ના કરવાના મૂળ કારણોમાં આર્થિક તંગી, વધારાના બાંધકામનો તોતિંગ ચાર્જ, વહીવટ વધુ ચાર્જ, દરેક પાવર ઓફ એટર્ની અને ટ્રાન્સફરના મોટા ખર્ચ નાણાંકીય રીતે અને વારસદાર કે વારસાઈ સમસ્યા, લાભાર્થી તેમજ વારસદારો વિદેશ હોવાથી કે સંપર્ક વિહોણા હોવાથી તથા પારિવારિક તકરારોના કારણે પણ દસ્તાવેજ થતા નથી.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના જણાવ્યા મુજબ નીચે આપેલા મુદ્દાઓ પર વિચારણા કરી તેને પેકેજનો ભાગ બનાવવો જેથી હાઉસીંગ રહીશોના ખિસ્સાનું ભારણ ઘટતા દસ્તાવેજી કાર્યવાહી ઝડપી બનશે અને રિડેવલોપમેન્ટમાં પણ વેગ આવશે અને ચોક્કસ સમય અવધિનું આવું દસ્તાવેજ માટે પેકેજ આપવું જોઈએ.

1) વહીવટી ચાર્જ
જો કોઈ મકાનનો દસ્તાવેજ કરવાનો બાકી છે તેનો વાર્ષિક 1000 રૂપિયા વહીવટી ચાર્જ/ફાઈલ ચાર્જ લેવામાં આવે છે તેની જગ્યા એ ગમે તેટલા વર્ષ હોય પણ ફિક્સ ચાર્જ નક્કી કરી એક જ નાની રકમ રાખવી જોઈયે અને તે રકમ રૂ.1000/- સુધીમાં હોવી જોઈએ.

2) પાવર ઓફ એટર્ની
જો કોઈ મકાન જે તે મૂળ લાભાર્થી દ્વારા જે તે સમયે પાવર ઓફ એટર્ની દ્વારા અન્યને વેચાયેલા હોય તેવી એન્ટ્રી એક કે તેથી વધુ હોય તો પણ એક વાર ફિક્સ જ ચાર્જ લેવો અને તે પણ ફિક્સ કિંમત રૂ.2000/- સુધીની જ હોવી જોઈએ.

3) વધારાના બાંધકામ અને વપરાશ ચાર્જ
દસ્તાવેજ કરાવતા સમયે જો લાભાર્થી દ્વારા મકાન માં વધારે બાંધકામ કરેલ હોય અને વપરાશ કરતા હોય તો પણ મૂળ મકાનનો જ દસ્તાવેજ થાય છે માટે આવા વધારેલ ગમે તેટલો વિસ્તાર હોય પણ મકાનો માટે કેટેગરી મુજબ ફિક્સ ચાર્જ નક્કી કરી દસ્તાવેજ મૂળ પ્લાન મુજબ કરી આપવા જોઈએ.
ઈડબલ્યુએસ – રૂ.3000/-
એલઆઈજી –  રૂ.5000/-
એમઆઈજી –  રૂ.7000/-
એચઆઈજી –  રૂ.10000/-
રિડેવલપમેન્ટ બાદ આ મકાનો તૂટી જવાના છે માટે હાલની મોટી રકમ ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોને પોષાય નહીં.ઉપરાંત તૂટવાના નક્કી જ છે તો આવી મોટી રકમ કોણ ભરે!

4) લાભાર્થી દ્વારા દસ્તાવેજ અરજી કરી જરૂરી બાકી નીકળતા લેણાંની રકમ ભરવામાં આવે ત્યારથી ચોક્કસ સમયમર્યાદામાં દસ્તાવેજ કરી આપવામાં આવે તેવી ઝડપી ગોઠવણ કરવામાં આવે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાતની હાઉસીંગ રહીશોના વિકાસ સાથે કલ્યાણને મહત્વ આપી સરકાર અને સંસ્થા દ્વારા યથા યોગ્ય નિર્ણયો ત્વરિત લેવામાં આવે તો રિડેવલપમેન્ટ ખૂબ ઝડપી બનશે.
ગુજરાત રાજ્યમાં વસતી હાઉસીંગની પ્રજાને સરકાર પર પૂરો ભરોસો છે, અને આવા સકારાત્મક પેકેજની આતુરતાથી રાહ જોઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...