Friday, November 28, 2025

હાઉસીંગ બોર્ડના મકાનોના દસ્તાવેજ માટે રાહત પેકેજની માંગણી : હાર્ફ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર, નવા વાડજ સહિતની જુદી જુદી હાઉસિંગ વસાહતોના મકાનોના દસ્તાવેજ થકી રિડેવલપમેન્ટ સરળ બને તે માટે સરકાર દ્ધારા 100 ટકા વ્યાજ અને પેનલ્ટીની યોજના ચાલી રહી છે ત્યારે હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા જણાવાયું છે કે હાઉસીંગ રહીશો દ્વારા દસ્તાવેજ ના કરવાના મૂળ કારણોમાં આર્થિક તંગી, વધારાના બાંધકામનો તોતિંગ ચાર્જ, વહીવટ વધુ ચાર્જ, દરેક પાવર ઓફ એટર્ની અને ટ્રાન્સફરના મોટા ખર્ચ નાણાંકીય રીતે અને વારસદાર કે વારસાઈ સમસ્યા, લાભાર્થી તેમજ વારસદારો વિદેશ હોવાથી કે સંપર્ક વિહોણા હોવાથી તથા પારિવારિક તકરારોના કારણે પણ દસ્તાવેજ થતા નથી.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના જણાવ્યા મુજબ નીચે આપેલા મુદ્દાઓ પર વિચારણા કરી તેને પેકેજનો ભાગ બનાવવો જેથી હાઉસીંગ રહીશોના ખિસ્સાનું ભારણ ઘટતા દસ્તાવેજી કાર્યવાહી ઝડપી બનશે અને રિડેવલોપમેન્ટમાં પણ વેગ આવશે અને ચોક્કસ સમય અવધિનું આવું દસ્તાવેજ માટે પેકેજ આપવું જોઈએ.

1) વહીવટી ચાર્જ
જો કોઈ મકાનનો દસ્તાવેજ કરવાનો બાકી છે તેનો વાર્ષિક 1000 રૂપિયા વહીવટી ચાર્જ/ફાઈલ ચાર્જ લેવામાં આવે છે તેની જગ્યા એ ગમે તેટલા વર્ષ હોય પણ ફિક્સ ચાર્જ નક્કી કરી એક જ નાની રકમ રાખવી જોઈયે અને તે રકમ રૂ.1000/- સુધીમાં હોવી જોઈએ.

2) પાવર ઓફ એટર્ની
જો કોઈ મકાન જે તે મૂળ લાભાર્થી દ્વારા જે તે સમયે પાવર ઓફ એટર્ની દ્વારા અન્યને વેચાયેલા હોય તેવી એન્ટ્રી એક કે તેથી વધુ હોય તો પણ એક વાર ફિક્સ જ ચાર્જ લેવો અને તે પણ ફિક્સ કિંમત રૂ.2000/- સુધીની જ હોવી જોઈએ.

3) વધારાના બાંધકામ અને વપરાશ ચાર્જ
દસ્તાવેજ કરાવતા સમયે જો લાભાર્થી દ્વારા મકાન માં વધારે બાંધકામ કરેલ હોય અને વપરાશ કરતા હોય તો પણ મૂળ મકાનનો જ દસ્તાવેજ થાય છે માટે આવા વધારેલ ગમે તેટલો વિસ્તાર હોય પણ મકાનો માટે કેટેગરી મુજબ ફિક્સ ચાર્જ નક્કી કરી દસ્તાવેજ મૂળ પ્લાન મુજબ કરી આપવા જોઈએ.
ઈડબલ્યુએસ – રૂ.3000/-
એલઆઈજી –  રૂ.5000/-
એમઆઈજી –  રૂ.7000/-
એચઆઈજી –  રૂ.10000/-
રિડેવલપમેન્ટ બાદ આ મકાનો તૂટી જવાના છે માટે હાલની મોટી રકમ ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોને પોષાય નહીં.ઉપરાંત તૂટવાના નક્કી જ છે તો આવી મોટી રકમ કોણ ભરે!

4) લાભાર્થી દ્વારા દસ્તાવેજ અરજી કરી જરૂરી બાકી નીકળતા લેણાંની રકમ ભરવામાં આવે ત્યારથી ચોક્કસ સમયમર્યાદામાં દસ્તાવેજ કરી આપવામાં આવે તેવી ઝડપી ગોઠવણ કરવામાં આવે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાતની હાઉસીંગ રહીશોના વિકાસ સાથે કલ્યાણને મહત્વ આપી સરકાર અને સંસ્થા દ્વારા યથા યોગ્ય નિર્ણયો ત્વરિત લેવામાં આવે તો રિડેવલપમેન્ટ ખૂબ ઝડપી બનશે.
ગુજરાત રાજ્યમાં વસતી હાઉસીંગની પ્રજાને સરકાર પર પૂરો ભરોસો છે, અને આવા સકારાત્મક પેકેજની આતુરતાથી રાહ જોઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...