Monday, November 10, 2025

અદભૂત… અવિસ્મરણીય ! PM મોદીએ દ્વારકાના દરિયામાં કર્યું સ્કુબા ડાઈવિંગ, શેર કરી તસવીરો

spot_img
Share

દ્વારકા : દ્વારકા નગરીએ આજે ઐતિહાસિક ઘડી બની છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. PM મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા.તેઓએ વિકાસ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે,દરિયા કિનારાને પર્યટન સ્થળ વિકસાવવા PM મોદીનો ધ્યેય છે.


પ્રાપ્ત રિપોર્ટ મુજબ દ્વારકાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે PM નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોચ્યા હતા. સવારે સેતુનું લોકાર્પણ કરીને દ્વારકાધીશની પૂજા કરી હતી. એ બાદ પંચકૂઈ બિચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોચ્યા હતા અને કમરે મોરપિચ્છ ખોસીને પાણીમાં ઉતર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ આ તસવીરો ટ્વિટર(X) પર શેર કરી છે. કહેવાય છે કે, આજે પણ ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી, તે દરિયામાં છે. બની શકે કે PM નરેન્દ્ર મોદી એ જોવા માટે જ દરિયામાં ગયા હોય. જો કે તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું.ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.

PM મોદી માટે દરિયાકાંઠે ટેન્ટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરિયાના નિરીક્ષણ માટે થોડો સમય રિઝર્વ રાખવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી હતી. PM ના આગમનને પગલે અહીં નેવીની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.ઓખા – બેટદ્વારકા વિસ્તારમાં પોલીસનું કડક બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. સાથે જ મેરીટાઈમ બોર્ડ તરફથી ફેરીબોટને પણ બંધ રાખવામાં આવી હતી. આ સાથે જ 25 ફેબ્રુઆરી બાદ ફેરી સેવા સામાન્ય રૂપથી શરૂ કરી દેવાશે તેવુ જણાવાયુ હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...