Wednesday, January 7, 2026

ચેનપુર શાળાની શિક્ષિકાની અટકાયત, ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કરતાં કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકોને ચૂંટણી કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદનાં ચેનપુર શાળાના એક મહિલા શિક્ષિકાને BLOની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ કામગીરી માટે હાજર ન થઈ એનો અસ્વીકાર કર્યો હતો, જેથી આજે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરેલાં શિક્ષિકાને મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યાં હતાં. તેમણે કામગીરી ન સ્વીકારવા માટે સાસુ-સસરા બીમાર હોવાનું કારણ આપ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ચેનપુરમાં આવેલી ચેનપુર પ્રાથમિક શાળામાં હિનલ પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની 1 ફેબ્રુઆરી 2024ના રોજ બૂથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી તેઓ હાજર થયાં નહોતાં અને હુકમનો અનાદર કર્યો હતો, જેથી ઘાટલોડિયા વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ દ્વારા સાબરમતી પોલીસને શિક્ષિકાની અટકાયત કરવા માટે વોરંટ આપવામાં આવ્યું હતું. વોરંટ આવતાં જ સાબરમતી પોલીસે ચેનપુર ખાતેની સ્કૂલેથી મહિલા શિક્ષકની અટકાયત કરી હતી અને તેમને ગોતા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની રજૂઆત સાંભળીને તેમની માગ સ્વીકારવામાં આવી છે.

મહિલા શિક્ષક ઓર્ડર કર્યા છતાં હાજર ન થતાં તેમને વોરંટ બજવીને કચેરીમાં હાજર કરવામાં આવ્યાં હતા અને તેમની જ રજૂઆત હતી. રજૂઆત સાંભળીને તેમનો તેમના ઘરથી નજીક ઓર્ડર કરવામાં આવ્યો છે. મહિલા શિક્ષકના જણાવ્યા મુજબ તેઓ ગોતા વિસ્તારમાં રહે છે અને ચૂંટણી કામગીરી માટે મારા નિવાસસ્થાનેથી દૂર ઓર્ડર થયો હતો, પરંતુ તેઓના પરિવારમાં સાસુ-સસરા બીમાર હોવાથી તેઓએ ઘર નજીક ઓર્ડર માગ્યો હતો. જેને લઈને આજે રજૂઆત કરી હતી, જેથી તેઓને ઘરથી નજીક ઓર્ડર કરી આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...