Monday, January 26, 2026

અમદાવાદમાં રિક્ષામાં મહિલા પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપી ઝડપાયા

spot_img
Share

અમદાવાદ: ગુજરાતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવીને કિમતી સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદમાં આ ગેંગ દ્વારા અનેક મુસાફરો ભોગ બન્યાં છે. ત્યારે ઝોન-1 ડીસીપી સ્કોર્ડે રીક્ષામાં મહિલા પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી કટર મારફતે ચેન કે કિંમતી વસ્તુઓ તોડીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 2.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટનાર ગુનેગારોને પકડી પાડવા માટે ઝોન-1 ડીસીપી સ્કોર્ડેને સૂચના મળી હતી. શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી કિંમતી વસ્તુઓની ચોરીના બનાવો બનતા પોલીસ આરોપીને પકડવા માટે સક્રિય થઈ હતી. જેમાં ઝોન 1 ડીસીપી સ્કોર્ડને આરોપીઓ પકડવામાં સફળતા મળી છે. પોલીસે લાલા પટણી, પ્રકાશ પટણી, જીજ્ઞેશ મસ્કે, કનું પટણી નામના ચાર આરોપી ઓને ઝડપી તેમની પાસેથી એક રિક્ષા, બે સોનાની ચેન, પેન્ડલ, મોબાઈલ, રોકડ રકમ સહિત 2 લાખ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઝોન-1 ડીસીપી સ્કોર્ડની પુછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે આરોપીઓ પેસેન્જરના સ્વાંગમાં જ રિક્ષામાં બેસતા હતા અને જે પણ મહિલા કે વૃદ્ધાએ સોનાની કિંમતી વસ્તુ પહેરેલી હોય તેઓને રીક્ષામાં બેસાડતા હતા. જે બાદ બેસતા નથી ફાવતું કે અન્ય કોઈ રીતે તેમને વિશ્વાસમાં લઈ કટર વડે તેમની ચેન કે મંગળસૂત્ર કાપી લેતા હતા. બાદમાં ગમે તે બહાને તેઓને અધવચ્ચે ઉતારી દેતા હતા અને ફરાર થઈ જતા હતા.

ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ પોલીસની પકડમાં ન આવે તે માટે રીક્ષામાં આગળની નંબર પ્લેટ પર લીંબુ મરચા જ્યારે પાછળની નંબર પ્લેટ પર ફૂલનો હાર લગાવી દેતા હતા. જેથી કોઈ વ્યક્તિ રીક્ષાનો નંબર જોઈ ન જાય અથવા તો સીસીટીવીમાં પણ નંબર દેખાય નહીં. પોલીસ પૂછપરછમાં અડાલજ પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે આરોપીઓએ આ સિવાય અન્ય ગુના પણ આચર્યા હોવાની આશંકા છે. પ્રકાશ ઉર્ફે શૈલેષ આ ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે.

શું સાવધાની રાખવી ??

રીક્ષામાં બેસો ત્યારે મોબાઈલ-પાકીટ સલામત જગ્યાએ રાખવા
રીક્ષામાં બેસો ત્યારે બહુ પૈસાદાર પાર્ટી હોવાનો દેખાડો કરવો નહિ
રીક્ષામાં બેસો ત્યારે ફોન પર રૂપિયાની લેતી દેતીની વાત કરવી નહિ
રિક્ષાની નંબર પ્લેટ, ચાલકનું નામ અને મોબાઈલ નંબર નોંધી લેવા
રીક્ષામાં બેસો પહેલા શક્ય હોય તો GPS લોકેશન ઓન રાખવું

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...