Monday, November 10, 2025

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર

spot_img
Share

અંબાજી : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.અંબાજીમાં ચૈત્રી નવરાત્રીને લઇને યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.અંબાજીમાં 9 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પહેલા દિવસે સવારે 9:15 થી 9:45 સુધી અંબાજી મંદિરમાં ઘટસ્થાપના વિધિ કરાશે. અંબાજી મંદિરમાં કોટેશ્વર નદીનું જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ઘટસ્થાપના કરાશે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન 16 એપ્રિલે ચૈત્રી આઠમની સવારે 6 કલાકે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે. જ્યારે, 23 એપ્રિલે ચૈત્રી પૂનમે સવારે 6 કલાકે મંગળા આરતી અને અન્ય ધાર્મિક વિધિ યોજાશે. આરતીનો સમય સવારે 7 થી 7.30 વાગ્યે રહેશે. 7.30 થી 11.30 દર્શન માટેનો સમય રહેશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12.30 થી 4.30 દર્શન કરી શકાશે, સાંજે 7.થી 7.30 વાગે આરતી રહે અને રાત્રે 7.30 થી 9 વાગ્યા સુધી દર્શનનો સમય રહેશે.

9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રિ દરમિયાન, માતા રાણીના 9 અલગ-અલગ સ્વરૂપોની નવ દિવસ સુધી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...