Sunday, March 1, 2026

પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, ધોરણ-12/કોલેજના અંતિમ વર્ષવાળા વિદ્યાર્થીઓ પણ કરી શકશે અરજી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં પોલીસ અને LRD ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઓજસ પર પોલીસ ભરતી માટે અરજી થઈ રહી છે. અત્યાર સુધી 1.55 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. કુલ 1.18 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. તેમણે કહ્યું કે 10 લાખ જેટલી અરજીઓ થવાની સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યુ કે રાજ્યમાં પોલીસ વિભાગના 12473 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 1.55 લાખ અરજીઓ આવી છે. ભરતી બોર્ડના ચેરમેને કહ્યું કે જો આ ઝડપે ફોર્મ ભરાય તો 7.5 લાખ અરજીઓ આવી શકે છે. તેમણે કહ્યું કે આશરે 10 લાખ જેટલી અરજી થવી જોઈએ. હસમુખ પટેલે ઉમેદવારોને વહેલી તકે અરજી કરવાની પણ વિનંતી કરી હતી.

હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પરથી મદદ માંગી શકે છે. આ હેલ્પલાઈન નંબર 81608 80331, 81608 53877 છે. જો તમે પણ પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો ઓજસ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...