Thursday, January 15, 2026

પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, ધોરણ-12/કોલેજના અંતિમ વર્ષવાળા વિદ્યાર્થીઓ પણ કરી શકશે અરજી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં પોલીસ અને LRD ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઓજસ પર પોલીસ ભરતી માટે અરજી થઈ રહી છે. અત્યાર સુધી 1.55 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. કુલ 1.18 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. તેમણે કહ્યું કે 10 લાખ જેટલી અરજીઓ થવાની સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યુ કે રાજ્યમાં પોલીસ વિભાગના 12473 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 1.55 લાખ અરજીઓ આવી છે. ભરતી બોર્ડના ચેરમેને કહ્યું કે જો આ ઝડપે ફોર્મ ભરાય તો 7.5 લાખ અરજીઓ આવી શકે છે. તેમણે કહ્યું કે આશરે 10 લાખ જેટલી અરજી થવી જોઈએ. હસમુખ પટેલે ઉમેદવારોને વહેલી તકે અરજી કરવાની પણ વિનંતી કરી હતી.

હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પરથી મદદ માંગી શકે છે. આ હેલ્પલાઈન નંબર 81608 80331, 81608 53877 છે. જો તમે પણ પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો ઓજસ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...