Monday, November 10, 2025

દીકરી વ્હાલનો દરિયો, 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, જોવા મળ્યા ભાવુક દ્રશ્યો

spot_img
Share

પાવાગઢ : હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. જેને વર્ણવવા કે સમજવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદારહણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. એક બાજુ આજના સમયમાં લોકો દીકરી જન્મતા તેને ત્યજી દેતા હોય છે, બીજી તરફ એક પિતા છે જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને બધા પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોઈને ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા.

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો પણ સામે આવ્યો છે.

કોઈએ પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, હું બીજીવાર મારી દીકરીને માતાજીના દર્શન માટે લઈને આવ્યો છું. મારે બીજું કંઈ કહેવું નથી સાહેબ. જોકે અમે બીજું વધુ કંઈ પણ જાણવા કે પૂછવાની અપેક્ષા પણ વ્યક્ત નહોતી કરી. કેમ કે, જે દ્રશ્યો નજરે જોયા તે ધન્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...