Sunday, March 1, 2026

દીકરી વ્હાલનો દરિયો, 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, જોવા મળ્યા ભાવુક દ્રશ્યો

spot_img
Share

પાવાગઢ : હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. જેને વર્ણવવા કે સમજવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદારહણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. એક બાજુ આજના સમયમાં લોકો દીકરી જન્મતા તેને ત્યજી દેતા હોય છે, બીજી તરફ એક પિતા છે જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને બધા પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોઈને ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા.

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો પણ સામે આવ્યો છે.

કોઈએ પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, હું બીજીવાર મારી દીકરીને માતાજીના દર્શન માટે લઈને આવ્યો છું. મારે બીજું કંઈ કહેવું નથી સાહેબ. જોકે અમે બીજું વધુ કંઈ પણ જાણવા કે પૂછવાની અપેક્ષા પણ વ્યક્ત નહોતી કરી. કેમ કે, જે દ્રશ્યો નજરે જોયા તે ધન્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...