Thursday, September 18, 2025

અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા પાસેથી દારૂના જથ્થા સાથે 22 લાખનો મુદ્દામાલ કબજે

Share

Share

ગાંધીનગર : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કરીને હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ધાનપ પાટીયા બ્રિજ પાસેથી દારૂ લઈને જતો ટ્રક અટકાવ્યો હતો. જેમાંથી પોલીસને રૂ, 1,83,160 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે હરિયાણાના માહુનખાન ડી. ખાન અને નઈમ ટી. ખાનની ધરપકડ કરી હતી.

જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ફરીદ આમીન ખાન, હરીશ એ.ખાન, વોટ્સએપ પર દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.તપાસમાં દારૂનો આ જથ્થો વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. એસએમસીના પી.આઈ આર.એસ.પટેલ તથા તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.

અત્રે નોંધનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં અસંખ્ય સ્થળોએ દરોડાની કામગીરી કરી છે અને દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. તેમ છતાં સ્થાનિક પોલીસમાં જવાબદાર સામે પગલાં કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓ ઢીલાશ રાખી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...