Thursday, September 18, 2025

વિધાર્થીઓ આનંદો ! હવે બોર્ડના વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે

Share

Share

ગાંધીનગર : ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ, ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન ગુજરાત બોર્ડ કરી રહ્યું છે. સાથે જ પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી આટોપી લેવાય તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.જોકે હજુ સુધી પરીક્ષાની તારીખ સામે આવી નથી.હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની અગાઉ જેમ પૂરક પરીક્ષા લેવાતી હતી, તે મુજબ આ વખતે સમય કરતા વહેલા પરીક્ષા લેવાનું આયોજન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી-એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવી હોય તો પણ તે આપી શકે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંનેમાંથી જે વધુ માર્ક્સ હોય તે એને ગણતરીમાં લેવાય તે પ્રકારનું બોર્ડના ઠરાવમાં જણાવ્યું છે. એટલે પૂરક પરીક્ષા સ્વરૂતે તેને આખી પરીક્ષા આપવી હોય તો પણ આપી શકે છે.

ACPCની જે આખી એડમિશન પ્રક્રિયા હોય છે એમાં આ જે વધુ માર્ક્સ હોય અથવા તેને જે ગણવા હોય તે પ્રકારનું પણ આગામી સમયનું આયોજન છે. વધુમાં ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષયો સુધીની છૂટ આપી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...