Monday, November 10, 2025

ગાંધીનગર જિલ્લા કલેકટરનો નવો અભિગમ, મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી આ કરી ગરમીમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને તેમના તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી છે અને ગાંધીનગર શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે, જેમાં ગાંધીનગર મહાનગરના મતદારો મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 100 થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે.

જોકે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને ડેપ્યુટી કલેકટર અર્જુનસિંહ વણઝારા ની ટીમે ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસાના વેપારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં વહેપારીઓ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી જેના સમર્થનમાં ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસા તાલુકાના 100 થી વધુ વેપારીઓએ જિલ્લા કલેકટર ની આ અપીલને સ્વીકારી હતી અને 7 થી 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા સહમતિ બતાવી હતી.

આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. મતદાનની ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...