Thursday, September 18, 2025

ગાંધીનગર જિલ્લા કલેકટરનો નવો અભિગમ, મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

Share

Share

ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી આ કરી ગરમીમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને તેમના તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી છે અને ગાંધીનગર શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે, જેમાં ગાંધીનગર મહાનગરના મતદારો મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 100 થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે.

જોકે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને ડેપ્યુટી કલેકટર અર્જુનસિંહ વણઝારા ની ટીમે ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસાના વેપારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં વહેપારીઓ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી જેના સમર્થનમાં ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસા તાલુકાના 100 થી વધુ વેપારીઓએ જિલ્લા કલેકટર ની આ અપીલને સ્વીકારી હતી અને 7 થી 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા સહમતિ બતાવી હતી.

આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. મતદાનની ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...