Monday, November 10, 2025

PM મોદીની એન્ટ્રીથી રાજકીય મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ BJPને આપ્યુ સમર્થન

spot_img
Share

રાજકોટ : ચારેય તરફ ક્ષત્રિયોના વિરોધ બાદ PM મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન શાંત થયું છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. આજે રાજકોટના રણજીત વિલાસ ખાતે રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં BJPને સમર્થન જાહેર કરાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ચિંતન શિબિર મળી હતી. રાજકોટના પૂર્વ રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીતવિલાસ પેલેસ ખાતે આયોજિત આ બેઠકને ‘રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને સવારના 8:45એ તે શરૂ થઈ હતી.આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે બેઠકમાં હાજર 15 રાજવીઓ ઉપરાંત બાકીના રાજવીઓએ પોતાનો પત્ર લખીને આ નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે. આમ ગુજરાતના 45 રાજવીઓએ એકીસૂરે PM મોદી અને BJPને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...