Wednesday, January 14, 2026

હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને મુખ્ય પડતર પ્રશ્નો, આટલા પ્રશ્નોનો નિકાલ આવી જાય તો…

spot_img
Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા આ અગાઉ પણ નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને અનેક રિપોર્ટ દ્વારા લોકો સુધી વાસ્તવિક પરિસ્થતિ અને હાઉસીંગ રહીશોના વિવિધ પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વાર પોતાની સામાજીક જવાબદારી સમજી ઉપરોક્ત હાઉસીંગ વસાહતોની વાસ્તવિક પરિસ્થિતિ અને રહીશોની કફોડી હાલત માટે કોણ જવાબદાર વિશે ખાસ અહેવાલ લઈને આવ્યા છે.

આજની પરિસ્થિતિ જોતા નવા વાડજની હાઉસીંગ વસાહતોમાં મોટાભાગની વસાહતો 28થી 40 વર્ષ જુની છે.સરકારની રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષ જુની વસાહતોનું રિડેવલપમેન્ટ થઈ શકે એમ છે, છતાં હાઉસીંગ બોર્ડના મોટાભાગના મકાનો જર્જરીત અને ખખડધજ હાલતમાં હોવા છતાં અત્યાર સુધીમાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોનું રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણતાના આરે છે જયારે બાકીની ચાર-પાંચ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કાર્ય પાઈપલાઈનમાં છે.હવે જો આ સ્પીડે રિડેવલપમેન્ટનું કાર્ય થતું રહેશે તો આગામી સમયમાં અમદાવાદમાં આવેલ 100 થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટનું કાર્ય કયારે શક્ય બનશે ?

વિગતવાર વાત કરીએ તો રિડેવલપમેન્ટમાં મુખ્ય પ્રશ્નોમાં વધારાના બાંધકામ, દસ્તાવેજ અને ગીફટ મનીનો છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ દ્વારા વધારાના બાંધકામ માટે પેનલ્ટી અને દસ્તાવેજ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવતા હાઉસીંગ રહીશો માટે આર્શિવાદ સાબિત થશે.

આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ગણીએ તો વધારાના બાંધકામનો છે, તમને જણાવી દઈએ કે મોટાભાગની સોસાયટીઓમાં વધારાના બાંધકામ થઈ ચુકયા છે, જેને કારણે મોટાભાગના લોકો હાઉસીંગ પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ સાથે સંમત ન હોવાનું જણાવી રહ્યા છે.કારણ કે મોટાભાગના લોકો વધારાના બાંધકામ સાથે 100 વાર જેટલું બાંધકામ ભોગવી રહ્યાં છે.જયારે રિડેવલપમેન્ટ બાદ તેઓનું બાંધકામ નાનું થઈ જાય છે.જેથી હાઉસીંગ પોલીસીમાં જો મહત્તમ 40 ટકાની બદલે જો લઘુત્તમ 40 ટકા કરવામાં આવે તો મોટા સમુહનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.અને મોટી સંખ્યામાં હાઉસીંગ વસાહતો રિડેવલપમેન્ટમાં જોડાઈ શકે તેમ છે.

આ ઉપરાંત રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની આપવામાં આવેલ છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...