Wednesday, July 15, 2026

હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને મુખ્ય પડતર પ્રશ્નો, આટલા પ્રશ્નોનો નિકાલ આવી જાય તો…

spot_img
Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા આ અગાઉ પણ નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને અનેક રિપોર્ટ દ્વારા લોકો સુધી વાસ્તવિક પરિસ્થતિ અને હાઉસીંગ રહીશોના વિવિધ પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વાર પોતાની સામાજીક જવાબદારી સમજી ઉપરોક્ત હાઉસીંગ વસાહતોની વાસ્તવિક પરિસ્થિતિ અને રહીશોની કફોડી હાલત માટે કોણ જવાબદાર વિશે ખાસ અહેવાલ લઈને આવ્યા છે.

આજની પરિસ્થિતિ જોતા નવા વાડજની હાઉસીંગ વસાહતોમાં મોટાભાગની વસાહતો 28થી 40 વર્ષ જુની છે.સરકારની રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષ જુની વસાહતોનું રિડેવલપમેન્ટ થઈ શકે એમ છે, છતાં હાઉસીંગ બોર્ડના મોટાભાગના મકાનો જર્જરીત અને ખખડધજ હાલતમાં હોવા છતાં અત્યાર સુધીમાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોનું રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણતાના આરે છે જયારે બાકીની ચાર-પાંચ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કાર્ય પાઈપલાઈનમાં છે.હવે જો આ સ્પીડે રિડેવલપમેન્ટનું કાર્ય થતું રહેશે તો આગામી સમયમાં અમદાવાદમાં આવેલ 100 થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટનું કાર્ય કયારે શક્ય બનશે ?

વિગતવાર વાત કરીએ તો રિડેવલપમેન્ટમાં મુખ્ય પ્રશ્નોમાં વધારાના બાંધકામ, દસ્તાવેજ અને ગીફટ મનીનો છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ દ્વારા વધારાના બાંધકામ માટે પેનલ્ટી અને દસ્તાવેજ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવતા હાઉસીંગ રહીશો માટે આર્શિવાદ સાબિત થશે.

આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ગણીએ તો વધારાના બાંધકામનો છે, તમને જણાવી દઈએ કે મોટાભાગની સોસાયટીઓમાં વધારાના બાંધકામ થઈ ચુકયા છે, જેને કારણે મોટાભાગના લોકો હાઉસીંગ પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ સાથે સંમત ન હોવાનું જણાવી રહ્યા છે.કારણ કે મોટાભાગના લોકો વધારાના બાંધકામ સાથે 100 વાર જેટલું બાંધકામ ભોગવી રહ્યાં છે.જયારે રિડેવલપમેન્ટ બાદ તેઓનું બાંધકામ નાનું થઈ જાય છે.જેથી હાઉસીંગ પોલીસીમાં જો મહત્તમ 40 ટકાની બદલે જો લઘુત્તમ 40 ટકા કરવામાં આવે તો મોટા સમુહનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.અને મોટી સંખ્યામાં હાઉસીંગ વસાહતો રિડેવલપમેન્ટમાં જોડાઈ શકે તેમ છે.

આ ઉપરાંત રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની આપવામાં આવેલ છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...