Tuesday, October 14, 2025

હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને મુખ્ય પડતર પ્રશ્નો, આટલા પ્રશ્નોનો નિકાલ આવી જાય તો…

Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા આ અગાઉ પણ નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને અનેક રિપોર્ટ દ્વારા લોકો સુધી વાસ્તવિક પરિસ્થતિ અને હાઉસીંગ રહીશોના વિવિધ પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વાર પોતાની સામાજીક જવાબદારી સમજી ઉપરોક્ત હાઉસીંગ વસાહતોની વાસ્તવિક પરિસ્થિતિ અને રહીશોની કફોડી હાલત માટે કોણ જવાબદાર વિશે ખાસ અહેવાલ લઈને આવ્યા છે.

આજની પરિસ્થિતિ જોતા નવા વાડજની હાઉસીંગ વસાહતોમાં મોટાભાગની વસાહતો 28થી 40 વર્ષ જુની છે.સરકારની રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષ જુની વસાહતોનું રિડેવલપમેન્ટ થઈ શકે એમ છે, છતાં હાઉસીંગ બોર્ડના મોટાભાગના મકાનો જર્જરીત અને ખખડધજ હાલતમાં હોવા છતાં અત્યાર સુધીમાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોનું રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણતાના આરે છે જયારે બાકીની ચાર-પાંચ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કાર્ય પાઈપલાઈનમાં છે.હવે જો આ સ્પીડે રિડેવલપમેન્ટનું કાર્ય થતું રહેશે તો આગામી સમયમાં અમદાવાદમાં આવેલ 100 થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટનું કાર્ય કયારે શક્ય બનશે ?

વિગતવાર વાત કરીએ તો રિડેવલપમેન્ટમાં મુખ્ય પ્રશ્નોમાં વધારાના બાંધકામ, દસ્તાવેજ અને ગીફટ મનીનો છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ દ્વારા વધારાના બાંધકામ માટે પેનલ્ટી અને દસ્તાવેજ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવતા હાઉસીંગ રહીશો માટે આર્શિવાદ સાબિત થશે.

આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ગણીએ તો વધારાના બાંધકામનો છે, તમને જણાવી દઈએ કે મોટાભાગની સોસાયટીઓમાં વધારાના બાંધકામ થઈ ચુકયા છે, જેને કારણે મોટાભાગના લોકો હાઉસીંગ પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ સાથે સંમત ન હોવાનું જણાવી રહ્યા છે.કારણ કે મોટાભાગના લોકો વધારાના બાંધકામ સાથે 100 વાર જેટલું બાંધકામ ભોગવી રહ્યાં છે.જયારે રિડેવલપમેન્ટ બાદ તેઓનું બાંધકામ નાનું થઈ જાય છે.જેથી હાઉસીંગ પોલીસીમાં જો મહત્તમ 40 ટકાની બદલે જો લઘુત્તમ 40 ટકા કરવામાં આવે તો મોટા સમુહનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.અને મોટી સંખ્યામાં હાઉસીંગ વસાહતો રિડેવલપમેન્ટમાં જોડાઈ શકે તેમ છે.

આ ઉપરાંત રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની આપવામાં આવેલ છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...