Friday, November 28, 2025

હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને મુખ્ય પડતર પ્રશ્નો, આટલા પ્રશ્નોનો નિકાલ આવી જાય તો…

spot_img
Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા આ અગાઉ પણ નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને અનેક રિપોર્ટ દ્વારા લોકો સુધી વાસ્તવિક પરિસ્થતિ અને હાઉસીંગ રહીશોના વિવિધ પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વાર પોતાની સામાજીક જવાબદારી સમજી ઉપરોક્ત હાઉસીંગ વસાહતોની વાસ્તવિક પરિસ્થિતિ અને રહીશોની કફોડી હાલત માટે કોણ જવાબદાર વિશે ખાસ અહેવાલ લઈને આવ્યા છે.

આજની પરિસ્થિતિ જોતા નવા વાડજની હાઉસીંગ વસાહતોમાં મોટાભાગની વસાહતો 28થી 40 વર્ષ જુની છે.સરકારની રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષ જુની વસાહતોનું રિડેવલપમેન્ટ થઈ શકે એમ છે, છતાં હાઉસીંગ બોર્ડના મોટાભાગના મકાનો જર્જરીત અને ખખડધજ હાલતમાં હોવા છતાં અત્યાર સુધીમાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોનું રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણતાના આરે છે જયારે બાકીની ચાર-પાંચ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કાર્ય પાઈપલાઈનમાં છે.હવે જો આ સ્પીડે રિડેવલપમેન્ટનું કાર્ય થતું રહેશે તો આગામી સમયમાં અમદાવાદમાં આવેલ 100 થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટનું કાર્ય કયારે શક્ય બનશે ?

વિગતવાર વાત કરીએ તો રિડેવલપમેન્ટમાં મુખ્ય પ્રશ્નોમાં વધારાના બાંધકામ, દસ્તાવેજ અને ગીફટ મનીનો છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ દ્વારા વધારાના બાંધકામ માટે પેનલ્ટી અને દસ્તાવેજ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવતા હાઉસીંગ રહીશો માટે આર્શિવાદ સાબિત થશે.

આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ગણીએ તો વધારાના બાંધકામનો છે, તમને જણાવી દઈએ કે મોટાભાગની સોસાયટીઓમાં વધારાના બાંધકામ થઈ ચુકયા છે, જેને કારણે મોટાભાગના લોકો હાઉસીંગ પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ સાથે સંમત ન હોવાનું જણાવી રહ્યા છે.કારણ કે મોટાભાગના લોકો વધારાના બાંધકામ સાથે 100 વાર જેટલું બાંધકામ ભોગવી રહ્યાં છે.જયારે રિડેવલપમેન્ટ બાદ તેઓનું બાંધકામ નાનું થઈ જાય છે.જેથી હાઉસીંગ પોલીસીમાં જો મહત્તમ 40 ટકાની બદલે જો લઘુત્તમ 40 ટકા કરવામાં આવે તો મોટા સમુહનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.અને મોટી સંખ્યામાં હાઉસીંગ વસાહતો રિડેવલપમેન્ટમાં જોડાઈ શકે તેમ છે.

આ ઉપરાંત રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની આપવામાં આવેલ છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...