Tuesday, October 14, 2025

નારણપુરા સહિત આ વિસ્તારોમાં હાઉસીંગની 50 થી વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાવવા ઈચ્છુંક

Share

અમદાવાદ : ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધમધમાટ અને વર્ષોવર્ષ જમીન-મકાનના વધતા ભાવો વચ્ચે જુની સોસાયટીઓના રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ પુરજોશમાં છે. માત્ર અમદાવાદમાં જ છેલ્લા આઠ માસમાં ખાનગી 50 સોસાયટીનું રિડેવલપમેન્ટ ફાઈનલ થયુ છે અને 400 ખાનગી સોસાયટીઓમાં વાટાઘાટો ચાલુ છે.ત્યારે હાઉસીંગ બોર્ડની 50 થી વધુ સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા ઈચ્છુંક હોવાનું હાઉસીંગ સુત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022 થી 2024 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ જોડાવવા તત્પર છે.એક બાજુ વર્તમાન હાઉસીંગ કોલોનીઓ રોડ, લાઈટ, પાણી, પાર્કિંગ સહિત અનેક પ્રશ્નોને લઈને હાઉસીંગ રહીશો રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા તૈયાર હોય તેવું જણાય રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારણપુરાના એકતા એપાર્ટમેન્ટ બાદ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લેનાર નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ, સુર્યા એપાર્ટમેન્ટ વી-3, 24-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે. જયારે પત્રકાર કોલોની, શાસ્ત્રીનગર એમ-5, સુર્યા એપાર્ટમેન્ટ વી-2 ના ત્રિપક્ષિય કરાર થઈ ગયા છે અને ટુંકમાં ખાલી થવાના આરે છે. જયારે અમર એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ જેવી યોજનાઓ ત્રીપક્ષિય કરાર નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં સંમતિ લેવાની પ્રક્રિયા ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે.ઉપરાંત કેટલીક સોસાયટીઓના ટેન્ડર છાપામાં જાહેર કરાયા છે અને કેટલીક સોસાયટીના તૈયાર થઈ ગયા છે.આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જોડાવવા રહીશો માગણી કરી રહ્યા છે.

વધુમાં સૌથી અગત્યની વાત એ છે કે છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી રિડેવલપમેન્ટમાં જોડાનાર સોસાયટીઓ જેમ કે નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ, સુર્યા એપાર્ટમેન્ટ વી-3, 24-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે, આ તમામ સોસાયટીઓમાં બિલ્ડર દ્વારા નિયમિત ભાડુ અપાઈ રહ્યું છે, ત્યારે તમને જણાવી દઈએ કે ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં અનેક સોસાયટીઓમાં રહીશો ભાડા માટે બિલ્ડરની ઓફિસના ધક્કા ખાતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.આમ હાઉસીંગ બોર્ડની ઉપરોક્ત તમામ સોસાયટીઓમાં નિયમિત ભાડુ મળતું હોવાને કારણે લોકોને વિશ્વાસ બેઠો છે જેને કારણે બીજી અનેક સોસાયટીઓ જોડાવવા ઈચ્છુંક હોવાનું જાણવા મળ્યું છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી નવરંગપુરા, નારણપુરા, પાલડી, મેમનગર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની સોસાયટીઓ છે અને રિડેવલપમેન્ટની મોટી તક છે. વધુને વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટના માર્ગે આગળ ધપી રહી છે. પરીણામે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની સોસાયટીઓ છે અને રિડેવલપમેન્ટની મોટી તક છે. વધુને વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટના માર્ગે આગળ ધપી રહી છે. પરીણામે આ વિસ્તારોનાં જુના આવાસ-ફલેટની કિંમતોમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે.

હાઈકોર્ટનાં તાજેતરનાં ચુકાદાથી પ્રોજેકટો ઝડપથી આગળ ધપવા લાગ્યા છે. 75 ટકા ફલેટ માલીકો મંજુરી આપે તો રિડેવલપમેન્ટમાં અન્ય કોઈ અડચણ ન નાખી શકે તેવો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. આવતા વર્ષોમાં નવા ઘણા રિડેવલપમેન્ટ પ્રોજેકટ આકાર પામે તેવી શકયતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...