Friday, April 17, 2026

અમદાવાદમાં જર્જરિત હાઉસીંગ રહીશોને GHB એ ફરી નોટિસ અપાતા રહીશોમાં ફફડાટ..!!

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં લોકસભાની ચુંટણીઓ સપન્ન થઈ છે ત્યારે હાઉસીંગ બોર્ડ ફરી હરકતમાં આવ્યું છે.આગામી દિવસોમાં શરૂ થનારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડે હજારો જર્જરિત હાઉસીંગ રહીશોને નોટિસ આપતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અગાઉ પણ એપ્રિલ-2023માં ગુજરાતની 127 કોલોનીમાં સર્વેની કામગીરી હાથ ધરી હજારો રહીશોને મકાન રિપેર કરાવી લેવા અથવા તો ખાલી કરવાની નોટિસ આપી હતી.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં હાઉસીંગ બોર્ડનાં મકાનો બનાવ્યાં હતાં. આ મકાનો દાયકાઓ જૂના થઇ ગયા હોવાથી અનેક કોલોનીનાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયાં છે. જેના કારણે હાઉસીંગ બોર્ડનાં મકાનોના સ્લેબ, છતનો ભાગ કે અન્ય ભાગ તૂટી પડવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવે છે. ત્યારે GHBએ વ્યક્તિગત રીતે ઘરેઘરે જઈને સર્વે કરીને કોલોનીના રહીશોને નોટિસ આપી છે. જેમાં જણાવાયું છે કે આવનાર ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાય ન તે માટે મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે, આ અગાઉ પણ એપ્રિલ-2023માં પણ નોટીસો અપાઈ હતી, જેમાં કહેવાયું હતું કે રિડેવલપમેન્ટમાં જોડાવ અથવા મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ મુજબ બોર્ડની અમદાવાદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ 1961ના ધી ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની કલમ 75 હેઠળ બોર્ડે રચેલા નિયમો પ્રમાણે એકવાર મકાન- ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે, ત્યારબાદ મકાનોની આંતરિક ભાગની જાળવણી અને દેખરેખ અને જાળવણીની જવાબદારી લાભાર્થીઓ- એસોસિયેશનની જ રહે છે. જે વિગત આપના એસોસિયેશનની રચના સમય થયેલા બંધારણની જોગવાઇઓને સુસંગત છે.

જીડીસીઆર-2004 મુજબ બિલ્ડિંગ મેઇન્ટેનન્સ સમયાંતરે માલિક- કબજેદાર દ્વારા કરવાનું રહે છે. જીબીપીએમસી એક્ટ મુજબ સત્તાની રૂએ સ્થાનિક સત્તામંડળને જો આપની યોજના અત્યંત જર્જરિત અને ભયજનક જણાતી હોય તો તેઓને જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે. જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ દુર્ઘટના ટાળી શકાય. જે મુજબ આપના શહેરની આવાસ યોજના, સોસાયટીને જર્જરિત જાહેર કરવામાં આવે અથવા પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી હોય, તેમ છતાં પણ વસવાટ બંધ કરવામાં નહીં આવે અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ તથા અન્ય શહેરોમાં હાઉસીંગના મકાનોમાં આજકાલ આવનાર ચોમાસાને ધ્યાને રાખી ઘરે ઘરે નોટિસ આપવામાં આવી રહી છે કે જે તે લાભાર્થી એ મકાન સમારકામ કરાવી લેવું અને ભયજનક હોય તો ખાલી કરી દેવું કે ઉતારી દેવું. વાસ્તવમાં વર્ષો જૂની કેટલીક હાઉસિંગ સોસાયટીઓના મકાનોમાં કેટલાક મકાન રીપેરીંગના અભાવે કે વર્ષોથી બંધ હાલતમાં હોવાથી ભયજનક થયેલા છે.

આમ ફરી એક વાર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ચોમાસામાં ફરી કોઈ દૂઘર્ટના ન સર્જાય તેને લઈને નોટિસ આપતા હાઉસીંગના રહીશોમાં ફફડાટનું વાતાવરણ છે અને લોકોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...