Thursday, November 13, 2025

અમદાવાદમાં જર્જરિત હાઉસીંગ રહીશોને GHB એ ફરી નોટિસ અપાતા રહીશોમાં ફફડાટ..!!

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં લોકસભાની ચુંટણીઓ સપન્ન થઈ છે ત્યારે હાઉસીંગ બોર્ડ ફરી હરકતમાં આવ્યું છે.આગામી દિવસોમાં શરૂ થનારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડે હજારો જર્જરિત હાઉસીંગ રહીશોને નોટિસ આપતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અગાઉ પણ એપ્રિલ-2023માં ગુજરાતની 127 કોલોનીમાં સર્વેની કામગીરી હાથ ધરી હજારો રહીશોને મકાન રિપેર કરાવી લેવા અથવા તો ખાલી કરવાની નોટિસ આપી હતી.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં હાઉસીંગ બોર્ડનાં મકાનો બનાવ્યાં હતાં. આ મકાનો દાયકાઓ જૂના થઇ ગયા હોવાથી અનેક કોલોનીનાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયાં છે. જેના કારણે હાઉસીંગ બોર્ડનાં મકાનોના સ્લેબ, છતનો ભાગ કે અન્ય ભાગ તૂટી પડવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવે છે. ત્યારે GHBએ વ્યક્તિગત રીતે ઘરેઘરે જઈને સર્વે કરીને કોલોનીના રહીશોને નોટિસ આપી છે. જેમાં જણાવાયું છે કે આવનાર ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાય ન તે માટે મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે, આ અગાઉ પણ એપ્રિલ-2023માં પણ નોટીસો અપાઈ હતી, જેમાં કહેવાયું હતું કે રિડેવલપમેન્ટમાં જોડાવ અથવા મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ મુજબ બોર્ડની અમદાવાદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ 1961ના ધી ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની કલમ 75 હેઠળ બોર્ડે રચેલા નિયમો પ્રમાણે એકવાર મકાન- ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે, ત્યારબાદ મકાનોની આંતરિક ભાગની જાળવણી અને દેખરેખ અને જાળવણીની જવાબદારી લાભાર્થીઓ- એસોસિયેશનની જ રહે છે. જે વિગત આપના એસોસિયેશનની રચના સમય થયેલા બંધારણની જોગવાઇઓને સુસંગત છે.

જીડીસીઆર-2004 મુજબ બિલ્ડિંગ મેઇન્ટેનન્સ સમયાંતરે માલિક- કબજેદાર દ્વારા કરવાનું રહે છે. જીબીપીએમસી એક્ટ મુજબ સત્તાની રૂએ સ્થાનિક સત્તામંડળને જો આપની યોજના અત્યંત જર્જરિત અને ભયજનક જણાતી હોય તો તેઓને જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે. જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ દુર્ઘટના ટાળી શકાય. જે મુજબ આપના શહેરની આવાસ યોજના, સોસાયટીને જર્જરિત જાહેર કરવામાં આવે અથવા પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી હોય, તેમ છતાં પણ વસવાટ બંધ કરવામાં નહીં આવે અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ તથા અન્ય શહેરોમાં હાઉસીંગના મકાનોમાં આજકાલ આવનાર ચોમાસાને ધ્યાને રાખી ઘરે ઘરે નોટિસ આપવામાં આવી રહી છે કે જે તે લાભાર્થી એ મકાન સમારકામ કરાવી લેવું અને ભયજનક હોય તો ખાલી કરી દેવું કે ઉતારી દેવું. વાસ્તવમાં વર્ષો જૂની કેટલીક હાઉસિંગ સોસાયટીઓના મકાનોમાં કેટલાક મકાન રીપેરીંગના અભાવે કે વર્ષોથી બંધ હાલતમાં હોવાથી ભયજનક થયેલા છે.

આમ ફરી એક વાર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ચોમાસામાં ફરી કોઈ દૂઘર્ટના ન સર્જાય તેને લઈને નોટિસ આપતા હાઉસીંગના રહીશોમાં ફફડાટનું વાતાવરણ છે અને લોકોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...