Friday, November 28, 2025

અમદાવાદમાં જર્જરિત હાઉસીંગ રહીશોને GHB એ ફરી નોટિસ અપાતા રહીશોમાં ફફડાટ..!!

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં લોકસભાની ચુંટણીઓ સપન્ન થઈ છે ત્યારે હાઉસીંગ બોર્ડ ફરી હરકતમાં આવ્યું છે.આગામી દિવસોમાં શરૂ થનારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડે હજારો જર્જરિત હાઉસીંગ રહીશોને નોટિસ આપતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અગાઉ પણ એપ્રિલ-2023માં ગુજરાતની 127 કોલોનીમાં સર્વેની કામગીરી હાથ ધરી હજારો રહીશોને મકાન રિપેર કરાવી લેવા અથવા તો ખાલી કરવાની નોટિસ આપી હતી.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં હાઉસીંગ બોર્ડનાં મકાનો બનાવ્યાં હતાં. આ મકાનો દાયકાઓ જૂના થઇ ગયા હોવાથી અનેક કોલોનીનાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયાં છે. જેના કારણે હાઉસીંગ બોર્ડનાં મકાનોના સ્લેબ, છતનો ભાગ કે અન્ય ભાગ તૂટી પડવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવે છે. ત્યારે GHBએ વ્યક્તિગત રીતે ઘરેઘરે જઈને સર્વે કરીને કોલોનીના રહીશોને નોટિસ આપી છે. જેમાં જણાવાયું છે કે આવનાર ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાય ન તે માટે મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે, આ અગાઉ પણ એપ્રિલ-2023માં પણ નોટીસો અપાઈ હતી, જેમાં કહેવાયું હતું કે રિડેવલપમેન્ટમાં જોડાવ અથવા મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ મુજબ બોર્ડની અમદાવાદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ 1961ના ધી ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની કલમ 75 હેઠળ બોર્ડે રચેલા નિયમો પ્રમાણે એકવાર મકાન- ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે, ત્યારબાદ મકાનોની આંતરિક ભાગની જાળવણી અને દેખરેખ અને જાળવણીની જવાબદારી લાભાર્થીઓ- એસોસિયેશનની જ રહે છે. જે વિગત આપના એસોસિયેશનની રચના સમય થયેલા બંધારણની જોગવાઇઓને સુસંગત છે.

જીડીસીઆર-2004 મુજબ બિલ્ડિંગ મેઇન્ટેનન્સ સમયાંતરે માલિક- કબજેદાર દ્વારા કરવાનું રહે છે. જીબીપીએમસી એક્ટ મુજબ સત્તાની રૂએ સ્થાનિક સત્તામંડળને જો આપની યોજના અત્યંત જર્જરિત અને ભયજનક જણાતી હોય તો તેઓને જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે. જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ દુર્ઘટના ટાળી શકાય. જે મુજબ આપના શહેરની આવાસ યોજના, સોસાયટીને જર્જરિત જાહેર કરવામાં આવે અથવા પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી હોય, તેમ છતાં પણ વસવાટ બંધ કરવામાં નહીં આવે અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ તથા અન્ય શહેરોમાં હાઉસીંગના મકાનોમાં આજકાલ આવનાર ચોમાસાને ધ્યાને રાખી ઘરે ઘરે નોટિસ આપવામાં આવી રહી છે કે જે તે લાભાર્થી એ મકાન સમારકામ કરાવી લેવું અને ભયજનક હોય તો ખાલી કરી દેવું કે ઉતારી દેવું. વાસ્તવમાં વર્ષો જૂની કેટલીક હાઉસિંગ સોસાયટીઓના મકાનોમાં કેટલાક મકાન રીપેરીંગના અભાવે કે વર્ષોથી બંધ હાલતમાં હોવાથી ભયજનક થયેલા છે.

આમ ફરી એક વાર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ચોમાસામાં ફરી કોઈ દૂઘર્ટના ન સર્જાય તેને લઈને નોટિસ આપતા હાઉસીંગના રહીશોમાં ફફડાટનું વાતાવરણ છે અને લોકોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...