Tuesday, January 20, 2026

ઘાટલોડીયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

spot_img
Share

અમદાવાદ : તારીખ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના અંતર્ગત ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં હમેશાંની જેમ આ દિવસની ઉજવણી વૈવિધ્યસભર રીતે કરવામાં આવી હતી. નાના બાળકો તેમજ મોટા બાળકો અને શિક્ષકોએ મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં ધો-11 અને ધો-12 ના કુલ 350 થી વધુ વિધાર્થીઓ દ્વારા શાળા કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યોગ એક્સપર્ટ શ્રી ઋષિરાજ જયસ્વાલ (ઋષિરાજ ફાઉન્ડેશન) અને તેઓની ટીમ દ્વારા સતત 90 મિનિટ સૂર્યનમસ્કાર, યોગા, પ્રાણાયામ, ઓમકાર, એરોબિક વગેરે દ્વારા શાળાની વિધાર્થિનીઓને સંપૂર્ણ પ્રેક્ટિકલ અભ્યાસ કરાવ્યો હતો.

યોગ દિવસની ઉજવણી પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા યોગ કેમ કરવો જોઈએ તેના વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે જ્ઞાનદા ગર્લ્સ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...