Thursday, September 18, 2025

અમદાવાદના આ બે રમતવીરોને પ્રોત્સાહન, DGPના હસ્તે પોલીસ પુત્રને વેલફેર ફંડમાંથી ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ

Share

Share

અમદાવાદ : 2017થી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને રમતમાં કૌવત બતાવનારા નીલ લીલાધર ચાંદેકર અને માહીન યશવંતભાઈ પટેલને ફૂટબોલની સ્થાનિક કક્ષાથી લઇ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપીને ફૂટબોલની રમતમાં તેઓએ મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે કુશળતા કેળવી શકે તેવા હેતુસર રાજ્યના DGPના હસ્તે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી અનુક્રમે રૂ.2 લાખ અને રૂ.1 લાખની ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી હતી.

રમત ગમતને સમર્પણ આપનાર આજનું એક સામાન્ય બાળક તેના જીવનમાં તે રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ખેવના કરે, તો તેના માતા પિતાનો તેની પાછળ અપાયેલ સમયનો ભોગ, તે બાળક જે સંસ્થામાં ભણે છે તેનો સહકાર અને તેને તે રમત માટે તૈયાર કરનાર એકેડમીને બિરદાવવી પડે.આવો જ એક જીવંત દાખલો એટલે નીલ લીલાધર ચાંદેકર, જેના પિતા હાલ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરજ બજાવે છે..

અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં અભ્યાસ કરીને સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીમાં મયંક સેલર નાઓના કોચિંગ હેઠળ ફૂટબોલની ની તાલીમ લેનાર નીલ છેલ્લા 7 વર્ષથી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને સાધી રહ્યો છે. 2023માં બંગાળમાં રમાયેલ ‘સબ જુનિયર બોયસ નેશનલ ફૂટબોલ ચેમ્પિયન શીપ’ માં નીલે ગુજરાતની ટીમનો હિસ્સો બનીને ઉલ્લેખનીય પર્ફોર્મન્સ આપેલ છે. આ સિવાય ગયા જ વર્ષે ઝારખંડમાં રમાયેલ 67 મી નેશનલ ગેમ્સ 2023-24 ફૂટબોલ boys U-14 માં પણ નીલે ગુજરાતની ટીમને વિશેષ યોગદાન આપેલ છે.

બાળકની આવી લગન અને રમત જોઈને ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના વડા વિકાસ સહાયજીએ પોલીસ વેલ્ફેર ફંડમાંથી તેજસ્વી રમતવીરો નીલ ચાંદેકરને ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ અંતર્ગત રૂ.2 લાખ તથા માહીન યશવંતભાઈ પટેલને રૂ.1 લાખ રૂપિયાના ચેક આપી એક ઉત્કૃષ્ટ પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું. આ નાણાંકીય સહાય ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે, નીલ અને માહિનના પિતાએ જણાવ્યું હતું કે, આ સ્કોલરશીપ હેઠળની નાણાંકીય સહાયતા નીલ અને માહિનને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે.

નીલ અને માહિન જેવા બાળકો આજના તેમની ઉમરના બાળકો માટે આઇડલ સમાન છે.કદાચ એમને અનુસરીને પણ ફૂટબોલ જેવી રમતને ઉત્કૃષ્ટ ખેલાડી મળશે અને આવા ઉજ્જવળ ભાવિ માટે પ્રયાસ કરનાર ખેલાડીને ફૂટબોલની રમતનો ખોળો..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...