Thursday, January 15, 2026

અમદાવાદના આ બે રમતવીરોને પ્રોત્સાહન, DGPના હસ્તે પોલીસ પુત્રને વેલફેર ફંડમાંથી ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ

spot_img
Share

અમદાવાદ : 2017થી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને રમતમાં કૌવત બતાવનારા નીલ લીલાધર ચાંદેકર અને માહીન યશવંતભાઈ પટેલને ફૂટબોલની સ્થાનિક કક્ષાથી લઇ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપીને ફૂટબોલની રમતમાં તેઓએ મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે કુશળતા કેળવી શકે તેવા હેતુસર રાજ્યના DGPના હસ્તે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી અનુક્રમે રૂ.2 લાખ અને રૂ.1 લાખની ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી હતી.

રમત ગમતને સમર્પણ આપનાર આજનું એક સામાન્ય બાળક તેના જીવનમાં તે રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ખેવના કરે, તો તેના માતા પિતાનો તેની પાછળ અપાયેલ સમયનો ભોગ, તે બાળક જે સંસ્થામાં ભણે છે તેનો સહકાર અને તેને તે રમત માટે તૈયાર કરનાર એકેડમીને બિરદાવવી પડે.આવો જ એક જીવંત દાખલો એટલે નીલ લીલાધર ચાંદેકર, જેના પિતા હાલ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરજ બજાવે છે..

અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં અભ્યાસ કરીને સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીમાં મયંક સેલર નાઓના કોચિંગ હેઠળ ફૂટબોલની ની તાલીમ લેનાર નીલ છેલ્લા 7 વર્ષથી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને સાધી રહ્યો છે. 2023માં બંગાળમાં રમાયેલ ‘સબ જુનિયર બોયસ નેશનલ ફૂટબોલ ચેમ્પિયન શીપ’ માં નીલે ગુજરાતની ટીમનો હિસ્સો બનીને ઉલ્લેખનીય પર્ફોર્મન્સ આપેલ છે. આ સિવાય ગયા જ વર્ષે ઝારખંડમાં રમાયેલ 67 મી નેશનલ ગેમ્સ 2023-24 ફૂટબોલ boys U-14 માં પણ નીલે ગુજરાતની ટીમને વિશેષ યોગદાન આપેલ છે.

બાળકની આવી લગન અને રમત જોઈને ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના વડા વિકાસ સહાયજીએ પોલીસ વેલ્ફેર ફંડમાંથી તેજસ્વી રમતવીરો નીલ ચાંદેકરને ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ અંતર્ગત રૂ.2 લાખ તથા માહીન યશવંતભાઈ પટેલને રૂ.1 લાખ રૂપિયાના ચેક આપી એક ઉત્કૃષ્ટ પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું. આ નાણાંકીય સહાય ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે, નીલ અને માહિનના પિતાએ જણાવ્યું હતું કે, આ સ્કોલરશીપ હેઠળની નાણાંકીય સહાયતા નીલ અને માહિનને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે.

નીલ અને માહિન જેવા બાળકો આજના તેમની ઉમરના બાળકો માટે આઇડલ સમાન છે.કદાચ એમને અનુસરીને પણ ફૂટબોલ જેવી રમતને ઉત્કૃષ્ટ ખેલાડી મળશે અને આવા ઉજ્જવળ ભાવિ માટે પ્રયાસ કરનાર ખેલાડીને ફૂટબોલની રમતનો ખોળો..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...