Thursday, January 22, 2026

અમદાવાદમાં પોલીસનું રથયાત્રાને લઈને મેગા કોમ્બીંગ, બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ કાર્યરત છે. અમદાવાદ શહેરના DCP ઝોન 5 ટીમ દ્વારા તેમના વિસ્તારમાં ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં DCP ઝોન 5ની ટીમ દ્વારા કુલ 146 રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DCP ઝોન 5 માં આવતા રામોલ, અમરાઇવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર જેવા વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ હતું. 8 પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વહેલી સવારે 4 વાગ્યાથી ઓપરેશન હાથ ધરીને કુલ 146 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.

આ ઉપરાંત આગામી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં DCP ઝોન 5 ની ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં હથિયાર સંબંધિત 54 જેટલા કેસો કરવામાં આવ્યા. પોલીસની ટીમ દ્વારા ઈપીકો કલમ 279 અને એમ.વી. એક્ટ 184 હેઠળ 49 જેટલા કેસો કરવામાં આવ્યા. ઝોન 5 પોલીસે 86 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને 2 જુગાર સંબંધિત કેસો પણ કરવામાં આવ્યા.

ઝોન-5 ની પોલીસે ગત 20 જુનથી 30 જુન દરમિયાન 54 લોકો સામે હથિયાર ધારાનાં ભંગ બદલ કાર્યવાહી કરી છે. જયારે આઈપીસી 279 અને એમવી એકટ હેઠળ 49, 6 તડીપાર લોકોને પકડ્યા, પ્રોહીબીશનના કુલ 24 કેસ કર્યા છે. જ્યારે એમ વી એકટ 207 મુજબ 7 કેસ અને ઈપીકો 283 મુજબ 2 કેસ કર્યા છે. પોલીસે કુલ 86 વાહનો ડીટેઈન કરીને જુગારના 2 કેસ કર્યા છે. આમ, છેલ્લા 10 દિવસમાં 23 તડીપાર અને 38 વોન્ડેટ આરોપીને પકડીને 24 બુટલેગરો સામે કાર્યવાહી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...