Thursday, March 12, 2026

અમદાવાદમાં પોલીસનું રથયાત્રાને લઈને મેગા કોમ્બીંગ, બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ કાર્યરત છે. અમદાવાદ શહેરના DCP ઝોન 5 ટીમ દ્વારા તેમના વિસ્તારમાં ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં DCP ઝોન 5ની ટીમ દ્વારા કુલ 146 રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DCP ઝોન 5 માં આવતા રામોલ, અમરાઇવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર જેવા વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ હતું. 8 પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વહેલી સવારે 4 વાગ્યાથી ઓપરેશન હાથ ધરીને કુલ 146 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.

આ ઉપરાંત આગામી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં DCP ઝોન 5 ની ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં હથિયાર સંબંધિત 54 જેટલા કેસો કરવામાં આવ્યા. પોલીસની ટીમ દ્વારા ઈપીકો કલમ 279 અને એમ.વી. એક્ટ 184 હેઠળ 49 જેટલા કેસો કરવામાં આવ્યા. ઝોન 5 પોલીસે 86 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને 2 જુગાર સંબંધિત કેસો પણ કરવામાં આવ્યા.

ઝોન-5 ની પોલીસે ગત 20 જુનથી 30 જુન દરમિયાન 54 લોકો સામે હથિયાર ધારાનાં ભંગ બદલ કાર્યવાહી કરી છે. જયારે આઈપીસી 279 અને એમવી એકટ હેઠળ 49, 6 તડીપાર લોકોને પકડ્યા, પ્રોહીબીશનના કુલ 24 કેસ કર્યા છે. જ્યારે એમ વી એકટ 207 મુજબ 7 કેસ અને ઈપીકો 283 મુજબ 2 કેસ કર્યા છે. પોલીસે કુલ 86 વાહનો ડીટેઈન કરીને જુગારના 2 કેસ કર્યા છે. આમ, છેલ્લા 10 દિવસમાં 23 તડીપાર અને 38 વોન્ડેટ આરોપીને પકડીને 24 બુટલેગરો સામે કાર્યવાહી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...