Wednesday, February 4, 2026

વસ્ત્રાલમાં કપિરાજના આતંકથી બચવા માટે સ્થાનિકોએ લીધું હનુમાનજીનું શરણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન બોલાવી છે. નોંધનીય છે કે, ઘણા સમયથી કપિરાજ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. જેથી કપિરાજના આતંકની કંટાળીને લોકોએ રામધૂનનું આયોજન કર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજના આતંકને લઈને સ્થાનિકોએ હનુમાનજીની શરણે જવાનું પસંદ કર્યું છે. અખંડ રામધૂન બોલાવી હનુમાનજીને રિઝવી અને કપિરાજના આતંકથી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.ન્યુ વસ્ત્રાલમાં શ્રી હનુમાન દાદાને રીઝવવા માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુ વસ્ત્રાલની દરેક સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌ લોકોની મનોકામના આ રામધૂન થકી પૂર્ણ થાય અને કપિરાજનો આતંક શાંત થાય.

છેલ્લા એક મહિનાથી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં કપિરાજે આતંક મચાવ્યો છે નાના બાળકોને બચકા ભરી લેવા અને લોકો ને ઇજાગ્રસ્ત કરવા જેવી અનેક ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાય સમયથી ફોરેસ્ટ વિભાગ પણ કપિરાજને પકડી પાડવા સક્રિય બન્યું છે અત્યાર સુધીમાં ચાર કપિરાજ પકડાયા છે પરંતુ તેમ છતાં આતંક ઓછો થયો નથી. જેના કારણે ઘરથી બહાર નીકળતા પણ લોકો ડરે છે.

મહત્વનું છે કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, કપિરાજ ટોળામાં મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આવી પહોંચે છે અને ધમાલ મચાવે છે. પરિણામે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેના કારણે ઘરથી બહાર નીકળતા પણ લોકો ડરે છે. ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થયું છે ચાર કપીરાજને પકડી લીધા છે પરંતુ તેમ છતાં હજી ટોળા અહીં આવે છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે લોકોએ હનુમાનજીની શરણે જવાનું પસંદ કર્યું છે. અખંડ રામધૂન બોલાવી હનુમાનજીને રિઝવી અને કપિરાજના આતંકથી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...