Wednesday, January 21, 2026

ફક્ત સ્પોર્ટ બાઇકની ચોરી કરતા બે ઇસમોને સાત બાઇક સાથે ઝડપી લેતી ઝોન 1 LCB સ્કોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ઝોન 1 ડીસીપીના LCB સ્કોડે વસ્ત્રાપુરમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડયા છે. આરોપીઓ પલ્સર બાઈકની ચોરી કરતા હતા. જોકે પોશ વિસ્તારમાંથી એક બાઈક ચોરીની ફરિયાદના આધારે આરોપીને પકડી તપાસ કરતા અનેક સ્પોર્ટ્સ બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝોન 1 LCB ની ટીમે કપિલ અહારી અને રમેશ ભગોરા નામનાં બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજસ્થાનનાં ડુંગરપુરના બન્ને રહેવાસી છે. વસ્ત્રાપુર વિસ્તારોમાંથી છેલ્લા થોડા સમયમાં અનેક સ્પોર્ટ્સ બાઈકની ચોરીઓ વધુ પ્રમાણમાં થઈ હતી, જેની તપાસ કરી રહેલી ઝોન 1 LCB એ કરતા સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતાના આધારે કપિલ અહારી અને રમેશ ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી મળી ચાર લાખથી વધુની કિંમતના 6 પલ્સર બાઈક અને એક ડીલક્ષ બાઈક કબજે કરી છે અને આ સ્પોર્ટસ બાઇક ચોરતી ગેંગનો વધુ એક સભ્ય હાલ ફરાર છે જેની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપીઓએ પોતાના મોજશોખ માટે સ્પોર્ટ્સ ચોરી કર્યા હતા, આ બંને આરોપીઓ જ્યારે પોતાના ગામ જાય છે ત્યારે આ સ્પોર્ટસ બાઇક જોડે લઈ જતા હોય છે અને ત્યાં પોતાના સમાજમાં અને વિસ્તારમાં રોફ જમાવતા તેમજ વિસ્તારમાં યુવતીઓને આકર્ષવા માટે પણ તેઓ સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ કરતા હતા. આરોપીઓએ આ બાઈક ચોરી કરી અલગ અલગ જગ્યાઓ પર મુકી દેતા અને જરૂર પડે ત્યાંથી લઈ ફરતા હતા. આરોપીઓએ બાઈક ચોરી માટે એક કેબલ પણ બનાવ્યો હતો, જેનાથી બાઈકનું સ્ટેરીંગ લોક તોડી બાઈક ડાયરેક્ટ ચાલુ કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓના ચોરી સમયના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યા છે.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ મથકમાં સ્પોર્ટ્સ બાઈક ચોરીના નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જ્યારે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ મથકમાં પણ એક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી એક બાઈક નિવૃત પોલીસકર્મીના દિકરાની હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ આરોપી કપિલ અહારી અગાઉ પોક્સોના ગુનામાં દોઢ વર્ષ જેલમાં રહી ચુક્યો હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...