Thursday, September 18, 2025

સરકારી બાબુઓ સાવધાન, હવે લાંચ લીધી તો ગયા સમજો, આગામી સત્રમાં બિલ રજુ કરાય તેવી શક્યતાઓ

Share

Share

ગાંધીનગર : ગત 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ TDO(ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને તેના મળતીયા એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ (ખાનગી વ્યક્તિ)ને રૂ.20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા હતા. આ સાથે તે અધિકારીના ઘરે તપાસ કરવામાં આવતા 73 લાખ રોકડા અને 4.5 લાખના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. એક અધિકારીના ઘરેથી આખરે આટલી મોટી રકમ રોકડમાં ક્યાંથી આવી? સ્વાભાવિક છે કે, તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ આટલી રકમ આવી હોય!

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે આવા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે તેવું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવશે. વિગતો એવી પણ સામે આવી છે કે, ભ્રષ્ટ અધિકારી સામે સરકાર કાયદો લાવી શકે છે. નોંધનીય છે કે, અત્યારે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે. બાકી સામાન્ય લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઊઠી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે અને તેમાં કોઈ કઠોળ કાર્યવાહી પણ કરવામાં નથી આવી. પરંતુ અત્યારે મુખ્યમંત્રી આકરા પગલા લેશે તેવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે, આગામી ચોમાસું સત્રમાં આ ભ્રષ્ટાચાર બાબતે બિલ રજુ કરાય તેવી શક્યતાઓ છે. મળતી વિગતો પ્રમાણે આ કાયદાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક યોજવામાં આવી છે. આગામી સત્રમાં આ કાયદા અંગે બીલ રજૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. જો આ બીલ આવી જશે તો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં સારી રીતે લડી શકશે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...