Monday, November 10, 2025

સરકારી બાબુઓ સાવધાન, હવે લાંચ લીધી તો ગયા સમજો, આગામી સત્રમાં બિલ રજુ કરાય તેવી શક્યતાઓ

spot_img
Share

ગાંધીનગર : ગત 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ TDO(ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને તેના મળતીયા એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ (ખાનગી વ્યક્તિ)ને રૂ.20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા હતા. આ સાથે તે અધિકારીના ઘરે તપાસ કરવામાં આવતા 73 લાખ રોકડા અને 4.5 લાખના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. એક અધિકારીના ઘરેથી આખરે આટલી મોટી રકમ રોકડમાં ક્યાંથી આવી? સ્વાભાવિક છે કે, તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ આટલી રકમ આવી હોય!

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે આવા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે તેવું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવશે. વિગતો એવી પણ સામે આવી છે કે, ભ્રષ્ટ અધિકારી સામે સરકાર કાયદો લાવી શકે છે. નોંધનીય છે કે, અત્યારે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે. બાકી સામાન્ય લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઊઠી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે અને તેમાં કોઈ કઠોળ કાર્યવાહી પણ કરવામાં નથી આવી. પરંતુ અત્યારે મુખ્યમંત્રી આકરા પગલા લેશે તેવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે, આગામી ચોમાસું સત્રમાં આ ભ્રષ્ટાચાર બાબતે બિલ રજુ કરાય તેવી શક્યતાઓ છે. મળતી વિગતો પ્રમાણે આ કાયદાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક યોજવામાં આવી છે. આગામી સત્રમાં આ કાયદા અંગે બીલ રજૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. જો આ બીલ આવી જશે તો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં સારી રીતે લડી શકશે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...