Monday, November 10, 2025

મેટ્રો રેલની કામગીરીને લઈને ગાંધીનગરમાં આ રોડ એક મહિના માટે બંધ કરાયા

spot_img
Share

ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. સેક્ટર-2 સુધી તો મેટ્રોની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે બાકી રહેલા આગળના રૃટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૃપે શહેરના મુખ્ય એવા ચ માર્ગ ઉપર મેટ્રો રેલનો વળાંક બની રહ્યો છે જે માટે છ ચ-3 જંકશન અને એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ચો ચ-2થી ચ-3 સુધી અને ચ-3થી ચ-2 સુધીનો માર્ગ આગામી 17 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને સચિવાલય વિધાનસભા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં સેક્ટર 7-8ના કટથી સેક્ટર-7 માં પ્રવેશ કરીને ઘ- માર્ગ પકડવાનો રહેશે જ્યારે સચિવાલય તરફથી આવતા વાહનોને સેક્ટર 11 માં થઈને ગ માર્ક પકડવાનો રહેશે આ ઉપરાંત જ માર્ગનો પણ કર્મચારીઓ દ્વારા ઉપયોગ કરી કરી શકાશે. બીજી બાજુ જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિક માર્શલ ઊભા રાખવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...