Tuesday, January 20, 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ

spot_img
Share

અમદાવાદ : છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે. 11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોતા વંદે માતરમ રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ કહ્યું કે, અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા વરસાદી માહોલ છવાયો છે. આગામી 24 કલાકમાં લો-પ્રેશર સાથે સંકળાયેલો મોન્સૂન ટ્રફ પણ નીચે આવશે, જેની અસર મધ્ય ગુજરાત સુધી થવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં સાતમ, આઠમના દિવસે 5થી 7 ઇંચ વરસાદ પડવાની શકે છે.

જ્યારે સતત બીજા દિવસે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં પૂર્વમાં નરોડા, મેમ્કો જેવા વિસ્તારમાં અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો પશ્ચિમમાં ચાંદખેડા, ચાંદલોડિયા અને રાણીપમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મીઠાખળી અને પરિમલ અંડરપાસ વાહન- વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતો, જે પાણી ઉતરી જતાં વાહનોની અવરજવર માટે ફરી કાર્યરત કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...