Monday, November 10, 2025

ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે તમામ ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ

spot_img
Share

ડાકોર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાકોર દર્શનાર્થે જતાં તમામ ભક્તોને હવે વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવશે. મહત્વનું છે કે ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયજીના દર્શન માટે જતાં હોય છે. ભાવિકોના હિતમાં ડાકોર મંદિર કમિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડાકોરમાં ભાવીકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંદિર ટ્રસ્ટ દ્વારા ડાકોર દર્શને આવતા તમામ ભક્તોને પ્રસાદીનો લાભ લેવાની અપીલ પણ કરવામાં આવી છે. આજે ડાકોરમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ડાકોર રણછોડરાયજી મંદિરના ભંડારી મહારાજ દ્વારા શ્રી રણછોડરાયજી પ્રસાદનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સૌ ભાવિકો લાભ મેળવી શકશે.

મહત્વનું છે કે ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. ત્યારે હવેથી આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. ભોજન પ્રસાદી બનાવવામાં સ્વચ્છતાનું ધ્યાન રખાયું છે. સ્વસ્છતા જળવાઈ રહે અને બધા ભક્તો શાંતિથી ભોજન પ્રસાદીનો લાભ લઈ શકે તે તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

ડાકોર મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો જતાં હોય છે. ત્યારે રણછોડરાયજીના દર્શને આવતા ભક્તોને ભોજન મળી રહે તે માટે મંદિર સમિતીએ મોટો નિર્ણય કર્યો છે. હવે ડાકોરમાં બધા ભક્તોને વિના મૂલ્યે ભોજન કરાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ડાકોર દર્શને આવતા તમામ ભક્તોને પ્રસાદીનો લાભ લેવાની અપીલ પણ કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...