Sunday, November 16, 2025

સરદાર સ્ટેડિયમ નજીક ગરનાળાની એન્ગલ સાથે એક સપ્તાહમાં 15 લોકોનાં માથાં ફૂટ્યાં

spot_img
Share

અમદાવાદ : સરદાર પટેલ સ્ટેડિયમની પાછળ બનાવેલું ગરનાળું ખૂબ નીચું હોવા છતા તેની બહાર લોંખડના આડા એન્ગલ મારી દેવાતાં એક જ દિવસમાં 5 લોકોના માથા ફૂટી ગયા છે. છેલ્લા 7 દિવસમાં કુલ 15 લોકોના માથા ગરનાળાના પાઇપ સાથે અથડાયા હતા. આસપાસના લોકોએ અનેક વખત કોર્પોરેશન અને રેલવેને ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શુક્રવારે ગરનાળામાંથી પસાર થતા રિયાઝ અલી પઠાણનું માથું લોખંડના પાઇપ સાથે અથડાતા 22 ટાંકા લેવા પડ્યા અને સિવિલમાં દાખલ કરવા પડ્યા છે. ગરનાળાની ઊંચાઇ માત્ર 4 ફૂટ 7 ઇંચ છે. થોડા દિવસથી ગરનાળાની બહાર 5 ફૂટ 4 ઇંચ લોખંડના આડા એંગલ મૂકાયા છે. પરતું ગરનાળાની અંદરથી પસાર થતો રસ્તો સીધો રાખવાને બદલે ઉંડો હોવાથી પસાર થતી વ્યક્તિ જો સહેજ પણ ગફલત રાખે તેનું માથું એન્ગલ સાથે અથડાય છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ રોજના ઓછામાં ઓછા 5 લોકોના માથા ગરનાળા સાથે અથડાય છે. ગરનાળું ઘણુ નીચું હોવાથી લોકો માથા નીચા ન કરે તો અથડાય છે. ગરનાળાની ઉપર ભયજનક હોવાનું નોટિસ બોર્ડ લગાવવું જરૂરી છે.એટલું જ નહીં ગરનાળાની બહાર નાખેલી લોખંડની એન્ગલોને તાત્કાલિક હટાવી લેવી જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...