Wednesday, January 21, 2026

અમદાવાદમાં પોલીસની માનવતા મહેકી, હૃદય રોગના કારણે મોતને ભેટેલા પોલીસકર્મી માટે પોલીસે ફંડ એકત્રિત કર્યું

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે પોલીસને જોઈને આપણે અલગ જ વિચાર મનમાં લાવીએ છીએ, પરંતુ પોલીસ પણ માણસ છે, તેઓની અંદર પણ જીવ માટેની દયા, માનવતા, લાગણી તમામ બાબતો હોય છે. એમાં પણ પોલીસ પરિવારમાંથી કોઈપણ વ્યક્તિની અણધારી વિદાય થાય તો સમગ્ર પોલીસ બેડામાં શોક ફેરવાઈ જાય છે. જોકે કોર્પોરેટ કંપનીઓની જેમ હવે પોલીસ વિભાગમાં પણ આવા સંજોગોમાં પોલીસ કર્મચારીઓ પણ પોતાની આવકમાંથી અમુક રકમ આપી કાળે મૃત્યુ પામનાર પોલીસ પરિવારના સભ્યના પરિવારને આર્થિક મદદ કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન-5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 ની આર્થિક મદદ કરી છે. જે રકમ નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈના હસ્તે અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતાજીને આપી હતી.ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગઈ તારીખ 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયુ હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈ દ્વારા અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

અરવિંદભાઈને એક જ પુત્ર હોય જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હોય અને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ખોખરા પીઆઇ એન.કે રબારી દ્વારા તે શાળાના ટ્રસ્ટીઓને મળીને સ્વર્ગવાસી અરવિંદભાઈના પુત્રને ધોરણ 12 સુધી અડધી ફી કરાવી આપેલ છે અને એ ફી ભરવાની જવાબદારી ખોખરા PI એન.કે રબારીએ લીધી છે. તદુપરાંત તેમના પરિવારને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ આપવા માટે જણાવી પોલીસની માનવતા મહેકાવતી આવતી કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...