Thursday, April 30, 2026

અમદાવાદમાં પોલીસની માનવતા મહેકી, હૃદય રોગના કારણે મોતને ભેટેલા પોલીસકર્મી માટે પોલીસે ફંડ એકત્રિત કર્યું

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે પોલીસને જોઈને આપણે અલગ જ વિચાર મનમાં લાવીએ છીએ, પરંતુ પોલીસ પણ માણસ છે, તેઓની અંદર પણ જીવ માટેની દયા, માનવતા, લાગણી તમામ બાબતો હોય છે. એમાં પણ પોલીસ પરિવારમાંથી કોઈપણ વ્યક્તિની અણધારી વિદાય થાય તો સમગ્ર પોલીસ બેડામાં શોક ફેરવાઈ જાય છે. જોકે કોર્પોરેટ કંપનીઓની જેમ હવે પોલીસ વિભાગમાં પણ આવા સંજોગોમાં પોલીસ કર્મચારીઓ પણ પોતાની આવકમાંથી અમુક રકમ આપી કાળે મૃત્યુ પામનાર પોલીસ પરિવારના સભ્યના પરિવારને આર્થિક મદદ કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન-5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 ની આર્થિક મદદ કરી છે. જે રકમ નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈના હસ્તે અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતાજીને આપી હતી.ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગઈ તારીખ 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયુ હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈ દ્વારા અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

અરવિંદભાઈને એક જ પુત્ર હોય જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હોય અને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ખોખરા પીઆઇ એન.કે રબારી દ્વારા તે શાળાના ટ્રસ્ટીઓને મળીને સ્વર્ગવાસી અરવિંદભાઈના પુત્રને ધોરણ 12 સુધી અડધી ફી કરાવી આપેલ છે અને એ ફી ભરવાની જવાબદારી ખોખરા PI એન.કે રબારીએ લીધી છે. તદુપરાંત તેમના પરિવારને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ આપવા માટે જણાવી પોલીસની માનવતા મહેકાવતી આવતી કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...