Monday, November 10, 2025

નવા વર્ષે અંબાજી માતાની આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો સમગ્ર વિગત

spot_img
Share

અંબાજી : દિવાળીના પર્વના દિવસોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષથી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામોમાં યાત્રિકોનો ઘસારો ઉમટી પડશે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે, ત્યારે અંબાજી મંદિરનું શિખર ઝાકમજોળ રોશની થી ઝળહળી ઉઠશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.

બે નવેમ્બર 2024ના શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચારનો રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાતનો રહેશે તથા સાંજે દર્શનનો સમય સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.

તેના પછી ત્રીજી નવેમ્બર 2024ના રવિવારના રોજ કારતક સુદ બીજથી 6 નવેમ્બર 2024 સુધી કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર સુધીના રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.

આ સિવાય 7 નવેમ્બર 2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો રહેશે.

બેસતા વર્ષ 02/11/2024 સવારે આરતી 06.00 થી 06.30
દર્શન 06.30 થી 11.30
બપોરે અન્નકુટ દર્શન 12.30 થી 4.30
ત્રીજ થી આરતી સવારે 6.30 થી 7.00
દર્શન 07.00 થી 11.30
સાંજે આરતી 6.30 થી 7.00
સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...