Thursday, January 15, 2026

આજે PM મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત આવશે; દિવાળી પર આપશે મોટી ભેટ, સમગ્ર કાર્યક્રમની અપડેટ જાણો

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતને દિવાળી દરમિયાન કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપવાના છે. સાંજે 6 વાગ્યે તેઓ 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરવાના છે. PM દિવાળીના દિવસે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

PM નરેન્દ્ર મોદી આજે સાંજે 5.30 વાગ્યે એકતા નગરમાં 280 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને પ્રદેશમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે.આ પછી PM મોદી સાંજે 6 વાગ્યે 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99મા કોમન ફાઉન્ડેશન કોર્સ આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે.

PM મોદી દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. PM મોદી એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડ નિહાળશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ સામેલ હશે. અમારા એરમેન પણ આ કાર્યક્રમમાં ફ્લાયપાસ્ટ કરશે. આર્મી ઉપરાંત શાળાના બાળકો પણ વારા પાઇપ બેન્ડ શો કરશે. PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં પણ PM મોદીના કાર્યક્રમો યોજાશે ત્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

બે દિવસ પહેલા પણ PM મોદી ગુજરાતમાં હતા. PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતુ. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...