Sunday, July 26, 2026

અમદાવાદીઓ, તમારા ઘરની નજીક અર્બન હેલ્થ સેન્ટર પરથી જન્મ, મરણના દાખલામાં સુધારા થઇ શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓએ જન્મ-મરણના દાખલામાં સુધારા માટે ઝોનલ ઓફિસ કે ગીતા મંદિર આરોગ્ય ભવન સુધી ધક્કો નહીં ખાવો પડે. લોકો પોતાના વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં જઈને સુધારા કરાવી શકશે.છેલ્લા કેટલાક સમયથી ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે જન્મ-મરણની કચેરી ખાતે સર્ટિફિકેટમાં સુધારા માટે લોકોને લાંબી લાઈનો લાગતી હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારી યોજનાઓ માટે કેવાયસી આવશ્યક બનાવાયું છે ત્યારે જન્મ અને મરણના સર્ટિફિકેટમાં કેટલાક સુધારા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે આવી રહ્યા છે. જેને કારણે અહીં લાઇનો લાગી રહી છે. જોકે લોકો આ કામગીરી ઘરની નજીકમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તે માટે લોકોએ ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન સુધી આવવાની જરૂરત નથી.

નોંધનીય છેકે, જન્મના સર્ટિફિકેટમાં બાળક, માતા અથવા પિતાના નામમાં સુધારો કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન ખાતે આવી રહ્યા છે. અત્યારે ધસારો વધારે જોવા મળતાં આરોગ્ય ભવન ખાતે પણ 8 વધારાના કર્મચારીઓને બેસાડી કામનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...