Friday, March 13, 2026

ગુજરાતનું ગૌરવ : 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.

ગુજરાત પોલીસ વિભાગના 2 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અને 9 પોલીસકર્મીઓને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ વિભાગના 6 જવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. જેઓના નામ નીચે મુજબ છે.

શૌર્ય પુરસ્કાર (GM)
બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર
દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ અધિક્ષક પોલીસ

શૌર્ય પુરસ્કાર
શૌર્ય પુરસ્કાર (GM) જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અને ગુનેગારોની ધરપકડ કરવામાં દુર્લભ અને નોંધપાત્ર બહાદુરી માટે એનાયત કરવામાં આવે છે, જે જોખમનો અંદાજ સંબંધિત અધિકારીની જવાબદારી અને ફરજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.આ વખતે શૌર્ય પુરસ્કાર વિજેતાઓમાં ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત 28, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત 28, ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં તૈનાત ત્રણ અને અન્ય પ્રદેશોમાં તૈનાત 36 લોકોને તેમની બહાદુરીભર્યા કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM)
ચિરાગ મોહનભાઈ કોરાડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
નિલેશ ભીખાભાઈ જાજડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
અશોકકુમાર રામજીભાઈ પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક
દેવદાસ ભીખાભાઈ બારડ, આસીસ્ટન્ટ કમાન્ડન્ટ
સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, કોન્સ્ટેબલ
હિરેનકુમાર બાબુલાલ વરણાવા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
બાબુભાઈ જેઠાભાઈ પટેલ, સબ ઈન્સ્પેક્ટર
મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, હેડ કોન્સ્ટેબલ
હેમાંગકુમાર મહેશકુમાર મોદી, હેડ કોન્સ્ટેબલ

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 વીરતા મેડલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...