Wednesday, January 21, 2026

ગુજરાતનું ગૌરવ : 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.

ગુજરાત પોલીસ વિભાગના 2 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અને 9 પોલીસકર્મીઓને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ વિભાગના 6 જવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. જેઓના નામ નીચે મુજબ છે.

શૌર્ય પુરસ્કાર (GM)
બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર
દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ અધિક્ષક પોલીસ

શૌર્ય પુરસ્કાર
શૌર્ય પુરસ્કાર (GM) જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અને ગુનેગારોની ધરપકડ કરવામાં દુર્લભ અને નોંધપાત્ર બહાદુરી માટે એનાયત કરવામાં આવે છે, જે જોખમનો અંદાજ સંબંધિત અધિકારીની જવાબદારી અને ફરજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.આ વખતે શૌર્ય પુરસ્કાર વિજેતાઓમાં ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત 28, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત 28, ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં તૈનાત ત્રણ અને અન્ય પ્રદેશોમાં તૈનાત 36 લોકોને તેમની બહાદુરીભર્યા કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM)
ચિરાગ મોહનભાઈ કોરાડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
નિલેશ ભીખાભાઈ જાજડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
અશોકકુમાર રામજીભાઈ પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક
દેવદાસ ભીખાભાઈ બારડ, આસીસ્ટન્ટ કમાન્ડન્ટ
સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, કોન્સ્ટેબલ
હિરેનકુમાર બાબુલાલ વરણાવા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
બાબુભાઈ જેઠાભાઈ પટેલ, સબ ઈન્સ્પેક્ટર
મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, હેડ કોન્સ્ટેબલ
હેમાંગકુમાર મહેશકુમાર મોદી, હેડ કોન્સ્ટેબલ

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 વીરતા મેડલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...