Wednesday, March 11, 2026

આજથી થશે શરૂઆત IPL 2025 ક્રિકેટનો કાર્નિવલ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કઈ કઈ મેચ અને કયારે ?

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આઈપીએલની 18મી સીઝનની શરૂઆત પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજાશે. જેમાં અનેક સ્ટાર્સ પરફોર્મ કરશે અને લોકોનું મનોરંજન કરશે. ગત રાત્રે શાહરૂખ ખાન કોલકાતા એરપોર્ટ આવ્યો હતો. તેને જોતાં જ ફેંસે ઘેરી લીધો હતો.

આઈપીએલ ઉદ્ઘાટન સમારંભ સાંજે છ વાગે શરૂ થશે અને આશરે 35 મિનિટ સુધી ચાલશે. સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. 10 ટીમો 65 દિવસ સુધી દેશના 13 શહેરોમાં કુલ 74 મેચ રમશે. ફાઈનલ ઈડન ગાર્ડન્સમાં 25 મે ના રોજ યોજાશે.આ વખતે 10 ટીમ 13 શહેરોમાં પોતાની મેચ રમશે. 7 ટીમ પાસે એક-એક હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે 3 ટીમે બીજું હોમ ગ્રાઉન્ડ પણ પસંદ કર્યું છે. 7 મેચ 3 બીજી પસંદગીના સ્થળોએ રમાશે.

ઓપનિંગ સેરેમનીપહેલા કોલકાતાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ સીઝનની પહેલી મેચ સંપૂર્ણ રીતે રદ થવાનું જોખમ છે. હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. આઇપીએલ 2025ની મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રવિવાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજથી IPLનો મહા મુકાબલો શરૂ થવાનો છે ત્યારે ક્રિકેટ ચાહકો માટે જાણે ઉત્સવનો દિવસ આવી ગયો છે તેવું લાગી રહ્યું છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલી મેચ રમાશે તે ચોક્કસ તમને સવાલ થતો હશે, આવો જાણીએ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી મેચ રમાશે…

25 માર્ચ ના દિવસે ગુજરાત ટાઇટન્સ Vs પંજાબ કિંગ્સની સાંજે 7:30 કલાકે મેચ રમાશે…
29 માર્ચ ના દિવસે ગુજરાત ટાઇટન્સ Vs મુંબઈ ઇન્ડિયનસ વચ્ચે સાંજે 7:30 કલાકે મુકાબલો થશે…
9 એપ્રિલ ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:00 કલાકે મુકાબલો થશે…
19 એપ્રિલ ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 કલાકે મેચ રમાશે…
2 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs સનરાઈઝ હૈદરાબાદ સાંજે 7:30 કલાકે મેચ રમાશે…
14 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs લખનઉ સુપર જાયન્ટ્સ સાંજે 7:30 કલાકે મુકાબલો…
18 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs ચેન્નાઇ સુપર કિંગ્સ બપોરે 3:30 કલાકે મેચ રમાશે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...