Thursday, March 5, 2026

મંત્રીઓને હજારો યુનિટ વીજળી મફત, પણ સામાન્ય માણસે ભરવું પડે છે મસમોટું બિલ : કેજરીવાલ

spot_img
Share

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. વીજળી મુદ્દે મુશ્કેલી વેઠી રહેલા લોકોના પ્રશ્નઓ સાંભળ્યા. બાદમાં લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલએ ગુજરાતમાં પણ વીજળી મફત મળી શકે અને હું તેનું સમાધાન લઈ આવતા રવિવારે ફરી ગુજરાત આવવાની જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાએ જએ લોકોને ચૂંટયા તે લોકો જલસા કરી રહ્યા છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. જ્યારે સામાન્ય જનતાને હજારો રૂપિયાનું વીજળી બિલ આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ સસ્તી વીજળી મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે વીજળી સંવાદ ચલી રહ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું હવે દર અઠવાડિયે ગુજરાત આવીશ.

લોકોએ કેજરીવાલ સાથે આ પ્રકારના સવાલ જવાબ કર્યા

-મહિનાનું બે હજાર લાઈટબીલ આવે છે, પાણીને ઉપર ચડાવવા મોટર વાપરવી પડે છે
-ગુજરાતમાં વીજળી ઉતપન્ન થાય છે છતાં મોંઘી છે, દિલ્લીમાં બહારથી લાવો છો તો પણ ફ્રી કઈ રીતે આપો છો
-સરકાર ખેડૂતોને 4 કલાક રાતે જ વીજળી આપે છે
-ખેતી માટે બે વર્ષથી લાઈટ માટે ધક્કા ખાઈ થાકી ગયો પરંતુ કનેક્શન ના મળ્યુ
-2016માં લાઈટનું બિલ 3500 આવતું હતું. હવે 10 હજાર આવે છે
-વીજળીનું બિલ મોંઘું આવે છે, ભ્રષ્ટાચાર ખુબ જ છે
-પંજાબ અને તેલંગાણામાં ફ્રી લાઈટ પાણી, ગુજરાતમાં 665 હોર્સ પાવર છે
-વીજળી માટે કનેક્શન માટે 1.5 લાખ અને બિલ 15000 ભરવું પડે છે
-અમદાવાદના સરખેજમાં સરકારી લાઈટ પણ નથી
-સોલાર પેનલ લગાવી પણ તેમાં બિલમાં ક્રેડિટના વધારાના પૈસા ટોરેન્ટ આપતી નથી
-લાઈટ કાપવાનો પણ 2000 રૂપિયા દંડ ભરવો પડે છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...