Sunday, March 15, 2026

અમદાવાદનો આ વિસ્તાર 100 કરોડનો ખર્ચે વિકસાવાશે, વોક-વે, થીમ લાઈટ અને પાર્કિંગની સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં લો ગાર્ડનની આજુબાજુના 6.68 કિલોમીટર વિસ્તારને આવરી લેતા 6 રોડને ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. રૂ. 100 કરોડના ખર્ચે આ વિસ્તારને પ્રિસીન્કટ એરિયા તરીકે વિકસાવવામાં આવશે. સી.જી રોડ બાદ હવે લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોના રોડ બનશે. જેમાં લોકો માટે પાર્કિંગ, ચાલવા માટે વોક-વે, થીમ લાઈટ અને ફૂટપાથ સહિતની સુવિધાઓ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, લો ગાર્ડનની આસપાસના રોડના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડની જેમ વિકસાવવા માટે રૂ.100 ખર્ચ કરવામાં આવશે. આ રોડ પર શહેરીજનોને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા મળશે. રાહદારીઓને ચાલવા માટે પ્લાન્ટેશનયુક્ત વોક-વે તેમજ ફૂટપાથ હશે. નાના વેપારીઓ ધંધો કરીને રોજગાર મેળવી શકે તેના માટે વેન્ડિંગ ઝોન બનશે. ગજેબો, બેસવા માટે બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન વગેરેની સુવિધાઓ સાથે આ રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને વિચારો રૂપે વાહનચાલકો જઈ શકે તેના માટે ટ્રાફિક સાઇનેજીમ, થર્મોપ્લાસ્ટીક, પેઇન્ટ વડે રોડ માર્કિગ અને અન્ય ટ્રાફિક એન્જિનિયરીંગને લગતી કામગીરી કરવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ લેન્ડસ્કેપ લાઇટીંગ, લાઇટ પોલ, થીમ લાઇટ પણ થશે જેથી રાત્રિના સમયે પણ ત્યાં લોકો ને હરવા ફરવાની મજા આવશે. લો ગાર્ડનની આજુબાજુનો આ સમગ્ર વિસ્તાર ડેવલોપમેન્ટ થવાના કારણે લોકોને ખૂબ ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...