Sunday, March 15, 2026

નવા વાડજની આ શાળામાં 4R આધારિત વિજ્ઞાન પ્રદર્શન ‘ઘરતી કે રક્ષક’ યોજાયું, જાણો 4R વિશે ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાતે પર્યાવરણ જાગૃતિ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે નવાવાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં વિજ્ઞાનને લઈને અવનવી પ્રવુતિઓમાં જાણીતી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખું વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ અને મોડલ્સ દ્વારા પર્યાવરણની જાળવણી વિષે જાગૃતિ ફેલાવી. આ પ્રસંગે શાળાના સાયન્સ ટીચર પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ કાલના જવાબદાર નાગરિક બનશે અને શાળાથીજ તેમને પર્યાવરણ સંરક્ષણની સમજણ આપવી જરૂરી છે. જે તેમનું ઉજ્જવળ ભવિષ્ય હશે.આ વિજ્ઞાન પ્રદર્શન 4R- રિડ્યૂઝ, રિયુઝ, રિફ્યુઝ અને રિસાયકલ પર આધારિત રહ્યો.

ત્યારે આ કાર્યક્રમમાં ખાસ નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા.તેઓએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા શૈક્ષણિક અને સંવેદનશીલ કાર્યક્રમો અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવાનું સપનું દર વરસ પૂરું કરશે.ત્યારે શાળાના આચાર્ય દીપકભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનશીલતાની પ્રશંસા કરી. શાળાના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...