Monday, April 27, 2026

AMC દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અને કુંડા બનાવાયા, જાણો ક્યાંથી કેટલા ભાવે મળશે?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ગણેશોત્સવને ધ્યાને લઇ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશજીની મૂર્તિઓથી જળમાં ફેલાતાં પ્રદૂષણને અટકાવવા માટે મ્યુનિ. ઢોરવાડાની ગાયોના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવીને આગવી પહેલ કરી છે અને તેની સાથે ગણેશોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવાતી પૂજાસામગ્રી પણ છાણથી બનાવી છે.ગાયના છાણમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ,કુંડા સહીતની અન્ય ચીજો તૈયાર કરાવાઈ છે. સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી બનાવવામાં આવેલી મૂર્તિ સહીતની અન્ય ચીજો વેચાણ માટે લેવા ઈચ્છુક પાસેથી મૂર્તિ દીઠ રુપિયા 300થી 600 સુધીનો ચાર્જ લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા કોર્પોરેશનના દાણીલીમડા તથા બાકરોલ ખાતે આવેલા કેટલ ડેપો ખાતે અંદાજે 1400 ગાય રાખવામા આવેલી છે. આ ગાયના છાણમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરાવવામા આવી છે. પર્યાવરણનુ જતન કરવાના આશયથી કોર્પોરેશન દ્વારા નંદી નામની એક સ્વૈચ્છિક સંસ્થાને ગાયના છાણ સહીત અન્ય રો મટીરીયલ પુરુ પાડવામા આવ્યુ હતુ. જેમાંથી ગણેશજીની મૂર્તિ સહીત અન્ય ચીજો બનાવાઈ છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, રીડયુઝ,રીસાયકલ અને રીયુઝના થીમ ઉપર ગાયના છાણમાંથી બનાવેલી ગણેશ મૂર્તિ અને અન્ય ચીજો શહેરીજનો સુધી પહોંચાડવા આયોજન કરાશે.

લોકો તેમની નજીકની વોર્ડ ઓફિસ, રિવરફ્રન્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા એપ ઉપરથી પણ મેળવી શકશે. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા આ એક પ્રયાસ શરુ કરાયો છે. આગામી એક મહીનામાં આ સ્વૈચ્છિક સંસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનને દસ હજાર જેટલી મૂર્તિ તૈયાર કરી આપશે. જેમાં સાદી મૂર્તિ પાંચ હજાર, કલરવાળી મૂર્તિ ચાર હજાર અને એક હજાર સુશોભન વાળી મૂર્તિ આપશે. ચોમાસાને ધ્યાનમાં લઈ કોર્પોરેશન સંસ્થાને છાણમાંથી બનાવેલી સ્ટીક પુરી પાડશે. જેમાંથી દોઢ ફુટ ઉંચાઈ સુધીની ગણેશ મૂર્તિ તૈયાર કરાવાશે.

AMC દ્વારા ગાયના છાણમાંથી તૈયાર કરાવેલી ગણેશ મૂર્તિની સાથે લીમડા, જાંબુ વગેરેના બીજ રાખવામા આવ્યા છે. મ્યુનિ.અધિકારી નરેશ રાજપૂતે કહયુ, લોકો તેમના ઘરમાં ઈકો ફ્રેન્ડલી બનાવાયેલા કુંડામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી વિસર્જન કરશે એ સમયે મૂર્તિ સાથે રાખવામા આવેલ વનસ્પતિના બીજ કુંડામાં ઉગી નીકળશે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિની કિંમત

છાણની સાદી મૂર્તિ 300
કુદરતી કલરવાળી મૂર્તિ 400
સુશોભન સાથેની મૂર્તિ 500
પૂજા સામગ્રી બોક્સ 600

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...