Tuesday, September 16, 2025

નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે આપ્યા મહત્વના નિર્દેશ, તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે પરવાનગી જરૂરી

Share

Share

અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી વાળા લાઉડ સ્પીકર પર ગરબા વગાડવામાં આવે છે.22 તારીખે નવરાત્રી શરુ થાય એ પહેલા સોમવારે ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશ આપ્યા હતાં. તો બીજી તરફ નવરાત્રિ મામલે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે તમામ રાસ-ગરબા માટે DJની પરવાનગી જરૂરથી લેવી પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ વી એમ પીરઝાદાની બેન્ચે નિર્દેશ આ આપ્યા હતાં.દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના અધિકારીઓ માર્ચ 2024માં ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ અને 2005 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિત અગાઉના કેટલાક આદેશોનું પાલન કરી રહ્યા નથી.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કરીને ખાતરી આપી હતી કે નિર્દેશોનું પાલન કરવામાં આવશે. આમ છતાં હાઈકોર્ટને સરકારના જવાબથી સંતોષ થયો નહીં, કોર્ટે કહ્યું કે “પ્રતિવાદીઓ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) જાહેર કરવા અને પરિપત્ર બહાર પાડવાના પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. જોકે, ચિંતા સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અસરકારક અમલીકરણ અંગે છે.”

DJsના ત્રાસ અંગે અંગે હાઈકોર્ટે કડક મૌખિક અવલોકનો કર્યા. બેન્ચે કહ્યું કે DJs હવે સીમા ઓળંગી રહ્યા છે અને વધુ પડતા આવાજને કારણે ઘરની બારીઓ ધ્રુજી ઉઠે છે. કોર્ટે નોંધ્યું જકે ડીજેના વૂફર્સને કારણે લોકોના મગજને ગંભીર અસર પહોંચી શકે છે અને આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...