Tuesday, March 17, 2026

અમદાવાદમાં નવરાત્રિના ગરબા આયોજકો પર GST ટીમની રમઝટ, પાસના બ્લેકના આરોપ

spot_img
Share

અમદાવાદ : નવરાત્રિના તહેવારની ધૂમ વચ્ચે અમદાવાદમાં એક મોટા ગરબા આયોજક પર GST વિભાગે અચાનક દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ દરોડા શહેરના જાણીતા ગરબા આયોજનમાં પાડવામાં આવ્યા છે જેમાં લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી ઉપરાંત પૂર્વા મંત્રીને ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રિની રાત્રિઓ ગરબાના રંગમાં રંગાઈ રહી છે ત્યારે અમદાવાદમાંથી મોટી ખબરો સામે આવી રહી છે. શહેરના જાણીતા ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે.અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી તથા પૂર્વા મંત્રીના આયોજિત ગરબાઓમાં પણ આ દરોડાઓ કરવામાં આવ્યા છે. અમદાવાદના મોટા ગરબા સ્થળો જેમ કે રંગ મોરલો, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી પર પણ GSTની ટીમોએ તપાસ કરી છે.

નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમોનું ટર્નઓવર કરોડો રૂપિયાનું હોય છે. આશંકા છે કે નિયત ભાવ કરતાં વધારે ભાવે પાસ વેચવામાં આવી રહ્યા હતા, તેમજ ઘણા પાસ બ્લેકમાં પણ વેચાતા હતા. આ બાબતે અનેક ફરિયાદો મળ્યા પછી GST વિભાગે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના મતે, કુલ 8 થી 10 વધુ જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુમાં, “સ્વર્ણ નવરાત્રી” જેવા મોટા કાર્યક્રમો માટે એન્ટ્રી પાસ અને સીઝન પાસના અનિયમિત વેચાણમાંથી થતી આવક GST ના દાયરામાં આવે છે. GST વિભાગે આ દરોડા પાડ્યા હતા કારણ કે આ મુખ્ય આયોજકોએ પાસના વેચાણમાંથી થતી આવક પર પૂરતો કર ચૂકવ્યો નથી અથવા કરચોરી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...